રાજ્ય પોલીસ વડા દ્વારા પોલીસને અપાયેલા 100 કલાકના એજન્ડા બાદ પોલીસ દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે તેમના દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે. રાજકોટમાં થોડા સમય પૂર્વે જ રૈયાધાર વિસ્તારમાં અસામાજિક તત્વોના 55 થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે શહેર પોલીસ દ્વારા વધુ એક આવી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના ગોંડલ રોડ હાઇવે પર સર્વિસ રોડ પાસે અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું.જેમાં 20 કાચા પાકા મકાન પર થોરાળા પોલીસ દ્વારા મનપાના સ્ટાફને સાથે રાખી દેવામાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
થોરાળા પોલીસે ગોંડલ રોડ હાઇવે નજીક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું છે. હાઇવે ઓથોરિટી, પીજીવીસીએલ સહીતની ટીમોને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગઈકાલે સાંજે થોરાળા પોલીસ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અમદાવાદ-ગોંડલ હાઇવે પર અસામાજિક તત્વો દ્વારા 20 થી વધુ કાચા-પાકા મકાનો ગેરકાયદે ખડકી દેવામાં આવ્યા હતા. જેમાંથી સાત અસામાજિક તત્વો વિરુદજ પ્રોહીબિશન, શરીર સંબંધિત ગુના, મિલ્કત સંબંધીત ગુના નોંધાયેલા છે. મુકેશભાઈ શામજીભાઈ સિંધવ વિરુદ્ધ પાંચ ગુન્હા, મેહુલ મનુભાઈ ચૌહાણ વિરુદ્ધ પાંચ ગુન્હા, ભુરાભાઈ શામજીભાઈ સિંધવ પર ચાર ગુન્હા નોંધાયેલા છે. ઉપરાંત બાલા નાનજીભાઈ સિંધવ, નવઘણ સિંધવ, અજય ચૌહાણ અને પરબત ચૌહાણ પણ અનેક ગુન્હામાં સંડોવાયેલા હતા. આરોપીઓ ગેરકાયદેસર બાંધકામ કરીને ગોંડલ હાઈવે પર રહેતા હતા. આ દબાણો દૂર કરવા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પણ નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા કોઈ દરકાર નહિ લેવામાં આવતા ગઈકાલે એસીપી રાજેશ બારીયાના નેતૃત્વના થોરાળા પોલીસના પીઆઈ એન જી વાઘેલાની ટીમો દબાણ તોડી પાડવા બુલડોઝર સાથે ઉતરી હતી અને 20 જેટલાં કાચા-પાકા મકાનોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો હતો. ડિમોલીશન દરમિયાન અનિચ્છનીય બનાવને રોકવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા આવ્યો હતો. જયારે હાઇવે ઓથોરિટી, પીજીવીસીએલ સહીતની ટીમો પણ હાજર સાથે રહી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech