બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ અને વાવ તાલુકાના તમામ ગામોમાં તકેદારીના ભાગરૂપે આજે રાત્રે બ્લેકઆઉટ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આ અંગે સૂચનાઓ જારી કરી છે અને તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
કલેક્ટર દ્વારા આપવામાં આવેલી આ સૂચના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. સૂઈગામ અને વાવ તાલુકા સરહદી વિસ્તારો હોવાથી સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો હોવાની શક્યતા છે.
તમામ ગ્રામજનોને આ સૂચનાને ગંભીરતાથી લેવા અને રાત્રે પોતાના ઘરોમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે વધુ માહિતી આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech