રાજકોટ મહાપાલિકામાં સતત છેલ્લા ચાર દિવસથી જન્મ મરણ નોંધણી વિભાગની કામગીરી સંપૂર્ણ ઠપ્પ થઇ જતા સેંકડો અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠા છે. દરમિયાન આજે આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્રારા શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ સુધી લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને જર પડે કાર્યકરોને સાથે લઈ જઈને શહેરી વિકાસ વિભાગમાં રજૂઆત માટે ધસી જવાની ચિમકી પણ અતુલ રાજાણી દ્રારા ઉચ્ચારવામાં આવી છે.
વિશેષમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં અમારી જાણ મુજબ જન્મ મરણ દાખલા કાઢવા અને નવી નોંધણી સહિતની તમામ પ્રકારની કામગીરી સંપૂર્ણપણે બધં કરી દેવામાં આવી છે જે પગલે નાગરિકોમાં રોષની લાગણી ફેલાઇ છે જે અંગે અમોને સતત ટેલિફોનિક ફરિયાદો મળી રહી છે. આધારકાર્ડ અને જન્મ મરણની તમામ કામગીરી કેન્દ્ર અને રાજય સરકારના પોર્ટલ તેમજ વેબસાઈટ પર થાય છે જે કારણે રાજકોટ મહાનગરપાલિકામાં જન્મ મરણ દાખલા અંગેની કોઈ કામગીરી કરાતી નથી અને જન્મ મરણ વિભાગ ને અલીગઢી તાળાં મારી દેવામાં આવ્યા છે. હાલ માં રાજય સરકાર ના જન્મ મરણ દાખલા નીકળી રહ્યા છે પૂરા રાજય માં ઈ પોર્ટલ પર ડેટા અપલોડ કરવામાં આવે છે. અમારી જાણ મુજબ અને રાજકોટ મહાનગરપાલિકા ના સૂત્રો દ્રારા જાણવા મળ્યા મુજબ છેલ્લા ૮ દિવસ થી પોર્ટલ ની કામગીરી જે પહેલા ૧ દાખલો ત્વરિત નીકળતો તે દાખલો મળતા (અડધી) કલાક જેટલો સમય થાય છે અને લોકોનો સમય અને રોજગારી બને બરબાદ થાય છે.
વધુમાં રજુઆતમાં ઉમેયુ છે કે, હાલ રાજકોટ મનપા દ્રારા જન્મ મરણના દાખલા ન મળતા હોવાને પગલે વિધાર્થીની જુદી જુદી યોજનાઓ, ફી સહાય, રેશનકાર્ડ , ઈકેવાઈસી અને વીમા જેવા કામો અંગે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા ના સૂત્રો દ્રારા આ પ્રશ્નોનો ઉકેલ કયારે આવશે તે કહી શકે તેમ નથી. આ અંગે જે કાઈ રાજય સરકારની સૂચના હશે તે મુજબ કાર્યવાહી કરશે. જો કે લોકો ને છેલ્લા ૮ દિવસથી થતી હાલાકી અંગે રાજય સરકારે આખં મિચામણાં કરી લીધા હોય અને કોઈ પણ પ્રકારની સૂચના કે પોર્ટલ ની કામગીરી પુન: કયારે શ થશે એ પ્રકારની કોઈ જાહેરાત સમગ્ર ગુજરાત ની જનતા, મહાનગરપાલિકા કે નગરપાલિકાના અધિકારીઓ ને કે પદાધિકારીઓ આપવામાં આવી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationWhatsApp બનશે વધુ Private, પરમિશન વગર નહી થાય ફોટો/વિડીયો સેવ
April 08, 2025 04:39 PMપોરબંદર અને આસનસોલ વચ્ચે ચાલશે સ્મર સ્પેશિયલ ટ્રેન
April 08, 2025 04:29 PMજો રોજ રાત્રે મીઠું(ગળ્યું) કે નમકીન ખાવાની ઈચ્છા થતી હોય તો ચેતજો...
April 08, 2025 04:14 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech