દ્વારકામાં સનાતન આશ્રમ સામે રહેતા આલાભા પાલાભા માણેક નામના 58 વર્ષના હિન્દુ વાઘેર પ્રૌઢ ગઈકાલે બુધવારે બપોરના સમયે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે સનાતન સર્કલ પાસેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ડી.ડી. 01 કે. 9514 નંબરની એક ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે આલાભા માણેકના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેઓ બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા.
આ અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ અને નિવૃત્ત આર્મીમેન પત્રામલભા પાલાભા માણેક (ઉ.વ. 56) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસ ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. એલ.કે. કાગડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
મીઠાપુરમાં કોંક્રિટનો બીમ પડતા પરપ્રાંતિય શ્રમિકનું મૃત્યુ
મીઠાપુરથી આશરે ત્રણ કિલોમીટર દૂર પાડલી ગામની સીમમાં એલ. એન્ડ ટી. કંપનીના એરિયામાં કામ કરી રહેલા મૂળ બિહાર રાજ્યના પટણા જિલ્લાના ખગોલ તાલુકાના રહીશ અમરનાથ કારૂભાઈ સાવ ગામના 36 વર્ષના શ્રમિક યુવાન સિમેન્ટ કોંક્રિટના બીમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્રેઇન દ્વારા મૂકતા હોય, ત્યારે બીમના લોક છોડતા તે દરમિયાન અકસ્માતે તોતિંગ બીમ અમરનાથભાઈના પગ અને કમરના ભાગે પડ્યું હતું.
જેના કારણે તેમને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની પણ સત્યેન્દ્ર કારૂભાઈ સાવ (ઉ.વ. 45) એ મીઠાપુર પોલીસને કરતા પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech