રાજયમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પધ્મ, પધ્મભૂષણ અને પધ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્રારા નૃત્ય–સંગીત મહોત્સવ મનાવવામાં આવશે. આ મહોત્સવનું રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તા.૨૪ ફેબ્રુઆરીના રોજ સાંજે ૭ કલાકે ઉધ્ઘાટન કરવામાં આવશે. મહાશિવરાત્રિ નિમિત્તે તા.૨૪થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન સોમનાથ ખાતે આયોજિત આ મહોત્સવમાં શ્રદ્ધાવાન ભકતો માટે સુપ્રસિદ્ધ કલાકારો દ્રારા વીણા વડે ભજન અને રાસથી ડાયરા સહિત વિવિધ અલૌકિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં કાર્યક્રમના સ્થળ ખાતે વાધો–ધ્વનિની સફરથીમ પર ત્રિ–દિવસીય પ્રદર્શન, મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ત્રિવેણી ઘાટ પર ૧૦૮ દિવાઓથી સંગમ આરતીનું આયોજન, મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સવારે ૯–૦૦ વાગે મંદિર પરિસરમાં પાલખી યાત્રાનું ભવ્ય આયોજન, મહાશિવરાત્રીના પ્રસંગે શાક્રોકત વિધિવિધાન સાથે પાર્થિવેશ્વર મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય મહોત્સવમાં સર્વ ધર્મપ્રેમી જનતાઓને પધારી સહભાગી થવા રાય પ્રવાસન નિગમ દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે
તૃતીય દિવસ 26 ફેબ્રુઆરી
રાત્રે 8 વાગે: બરોડા કેરલા સમાજમ દ્વારા સિંગરી મેલમ તથા નિલેશ પરમાર દ્વારા ગુજરાતી લોકનૃત્યની પ્રસ્તુતિ
રાત્રે 9 વાગે: યોગેશ ગઢવી દ્વારા ડાયરાની પ્રસ્તુતિ
રાત્રે 10 વાગે: રાજવોરિયર અને ગ્રૂપ દ્વારા પ્રસ્તુતિ
રાત્રે 11 વાગે: મૈસુર મંજુનાથ દ્વારા વાયોલિન પ્રસ્તુતિ
રાત્રે 12 વાગે: સ્પર્શ સ્ટુડિયો ફોર પર્ફોર્મિંગ આટ્ર્સ (સુમન સ્વરાગી) દ્વારા 8 શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો દ્વારા શિવ મહિમાની પ્રસ્તુતિ
રાત્રે 1 વાગે: પંડિત વિશ્વમોહન ભટ્ટ (પદ્મ ભૂષણ) તથા પંડિત સલિલ ભટ્ટ દ્વારા ડેઝર્ટ સ્લાઇડ્સની પ્રસ્તુતિ
સવારે 2 વાગે: પંડિત શશાંક સુબ્રમણ્યમ દ્વારા વાંસળી વાદન
સવારે 3 વાગે: માઇસ્ટ્રો બિક્રમ ઘોષ રિધમસ્કેપત્રિ-દિવસીય મહોત્સવની પરેખાપ્રથમ દિવસ 24 ફેબ્રુઆરી
સવારે 10 વાગે: સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સોમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા પર સેમિનાર
સાંજે 7-30 વાગે: મુખ્ય મંચ પર ઉદ્ઘાટન સમારોહ
રાત્રે 8 વાગે: ડો. સોનલ માનસિંહ (પદ્મ વિભૂષણ) દ્વારા નાટ્યકથા હર હર મહાદેવની પ્રસ્તુતિ
રાત્રે 9 વાગે: કુ. સૂયર્ગિાયત્રી દ્વારા શિવ ભજન
રાત્રે 10 વાગે: વિદુષી રામા વૈદ્યનાથન દ્વારા નિમગ્નની પ્રસ્તુતિ
રાત્રે 11 વાગે: ડ્રમ્સ શિવમણિ અને પંડિત રોનુ મઝુમદાર (પદ્મ) (કીબોર્ડ પર અતુલ રાણીંગા)ની જુગલબંધીદ્વિતીય દિવસ 25 ફેબ્રુઆરી
સવારે 10 વાગે: સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સોમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા પર સેમિનાર
સાંજે 7 વાગે: રામચંદ્ર પુલાવર (પદ્મ) દ્વારા શેડો પપેટ્રી શો
રાત્રે 8 વાગે: વિદુષી સુધા રઘુરામન દ્વારા ગાયન સંગીતની પ્રસ્તુતિ
રાત્રે 9 વાગે: કુમુદિની લાખિયા (પદ્મ વિભૂષણ) અને કદંબ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ
રાત્રે 10 વાગે: અતુલ પુરોહિત દ્વારા ભજન ગાયન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર :108ના કર્મચારીઓની પ્રામાણિકતા....69 હજાર રોકડા અને મોબાઈલ ઇજાગ્રસ્ત દર્દીના સગાએ પરત કર્યા
February 25, 2025 06:31 PMજામનગરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયોમાં અદભુત રોશની કરવામાં આવી
February 25, 2025 06:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech