બાંગ્લાદેશ પણ હવે સીમા પરની જમીન હડપી લેવામાં ચીનની હરીફાઈ કરતું હોય તેમ ભારતના પ. બંગાળ, આસામ અને ત્રિપુરાને પોતાના હિસ્સા ગણાવીને નવા વિવાદને જન્મ આપ્યો છે.વચગાળાની સરકારના સલાહકાર મહફઝે ફેસબુક પર એક વિવાદાસ્પદ નકશો શેર કર્યેા હતો, જેમાં ભારતના પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના 'સલાહકાર' તરીકે કામ કરતા મહફઝ આલમે ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના વિજય દિવસના અવસર પર ભારત વિદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ સર્યેા હતો. વિજય દિવસ બાંગ્લાદેશની મુકિત યુદ્ધમાં પાકિસ્તાની સેના પર બાંગ્લાદેશી સેનાની જીતને દર્શાવે છે. તે જ દિવસે મહફઝે સોશિયલ મીડિયા પર ભારત વિદ્ધ વાંધાજનક પોસ્ટ કરી હતી.
પોસ્ટમાં, મહફઝ આલમે પૂર્વેાત્તર અને ઉત્તર ભારતમાં સાંસ્કૃતિક અસંતોષ ભડકાવવાનો પ્રયાસ કર્યેા હતો. આ સાથે એક વિવાદાસ્પદ નકશો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરાને બાંગ્લાદેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. વિવાદ વધ્યા બાદ મહફઝે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
મહફઝ આલમે પોતાની પોસ્ટમાં દાવો કર્યેા હતો કે ઉત્તર–પૂર્વ ભારત અને બાંગ્લાદેશના લોકોની સંસ્કૃતિ ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યેા હતો કે પૂર્વ પાકિસ્તાનનું નિર્માણ ભારતના ઉચ્ચ
જાતિઓ અને 'હિંદુ કટ્ટરવાદીઓ'ના વલણને કારણે થયું હતું. પોતાની પોસ્ટમાં મહફઝે ૧૯૭૫ અને ૨૦૨૪ની ઘટનાઓનું પુનરાવર્તન કરવાની જરિયાત વ્યકત કરી હતી.
૧૯૭૫માં બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાન અને તેમના પરિવારના સભ્યોની હત્યા કરવામાં આવી હતી. મહફઝે ૨૦૨૪માં શેખ હસીનાને સત્તા પરથી હટાવવાની કથિત યોજનાને અલોકતાંત્રિક ગણાવી હતી. તેમણે કહ્યું કે આ ઘટનાઓ વચ્ચે ૫૦ વર્ષનું અંતર છે, પરંતુ સંજોગો બદલાયા નથી. મહફઝે દાવો કર્યેા હતો કે બાંગ્લાદેશને નવી વ્યવસ્થા અને ભૂગોળની જરૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશના 82 ટકા નોકરિયાતો પૈસાને નહીં પોતાના અંગત જીવનને મહત્વ આપે છે
June 09, 2025 10:53 AMપોરબંદરના બે યુવાનોએ અગ્નિવિરની તાલીમ પૂર્ણ કરતા થયું અભિવાદન
June 09, 2025 10:33 AMમીઠાપુરમાં રખડતું ભટકતું જીવન જીવતા વૃદ્ધનું મૃત્યુ
June 09, 2025 10:33 AMપોરબંદરમાં વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે યોજાયું સાગર કાઠે સફાઈ અભિયાન
June 09, 2025 10:32 AMપોરબંદરમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ સહિત કાર્યક્રમ યોજાયા
June 09, 2025 10:31 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech