જીએસટી ચોરી કૌભાંડમાં જેલહવાલે જૂનાગઢના આરોપીના જામીન મંજૂર

  • May 28, 2025 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બોગસ પેઢીના નામે જીએસટી નંબર મેળવી ગેરકાયદે બાંધકામ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડમાં જેલ હવાલે થયેલા જુનાગઢના ધંધાર્થીની જામીન અરજી સેશન્સ કોર્ટમાં દ્વારા મંજૂર કરવામાં આવી છે.

આ કેસની હકીકત જી.એસ.ટી વિભાગના અધીકારી દ્વારા અલગ અલગ કુલ ૭ પેઢીઓ સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, મા આશીષ કોમ્પ્લેક્સ, દુકાન નં.૭, દોશી હોસ્પીટલ રોડ, રાજકોટમાં બનાવટી ભાડા કરાર બનાવી 'ક્રિષ્ના ટ્રેડિંગ' નામની પેઢી ખોલી ખોટા ભાડા કરારનો ખરા તરીકે ઉપયોગ કરી જી.એસ.ટી. ઓફીસના સરનામાવાળા બોગસ બીલો રજુ કરી 'ક્રિષ્ના ટ્રેડિંગ'ના નામથી જી.એસ.ટી. નંબર મેળવી-૭ પેઢીઓના સંચાલકો સાથે મળી રૂ.૭૯,૨૦,૩૯૮ની ખોટી રીતે ઈન્પુટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકારને

આર્થિક નુકશાન પહોચાડ્યું હતું. જેમાં રાજકોટ ખાતે બોગસ પેઢીના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી આંગડીયા મારફત જે તે વેપારીને પરત મોકલી કમીશન બે થી પાંચ ટકા મેળવવા સબબ સુધીર નરશીભાઈ રૈયાણીની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી સુધીર રૈયાણીએ રાજકોટ સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે હાલના રૂપિયા કમિશન લીધું હોવાનું રેકર્ડ ઉપર આવ્યું નથી, મુખ્ય આરોપીને પણ જામીન મળી ગયા છે, તેમજ ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્ત્ત કરતો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ સાહીસ્તાબેન એસ. ખોખર, રણજીતભાઈ એમ. પટગીર, દયા કે. છાયાણી, નીમેશ જાદવ, શ્રધ્ધા આર. ખખ્ખર તેમજ અમદાવાદના રાહીલ એન. શેખ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application