બીએસએફની દીકરીઓએ મોરચો સંભાળ્યો ઓપરેશન સિંદૂર નારી શક્તિનું પ્રતિક: મોદી

  • May 31, 2025 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના વિવિધ રાજ્યોમાં રેલી, રોડ શો અને સભાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ શનિવારે મધ્યપ્રદેશમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલ્કરની 300મી જન્મજયંતી સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન જનતાના સંબોધન દરમિયાન તેમણે અહિલ્યાબાઈના મહાન કામથી લઈને ઓપરેશન સિંદૂર અને તેમાં મહિલાઓ જવાનોના યોગદાન વિશે વાત કરી હતી.

જનતાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'અહિલ્યાબાઈ હોલ્કરે પ્રભુસેવા અને જનસેવાને ક્યારેય અલગ નથી માન્યું. તે હંમેશા શિવલિંગ પોતાની સાથે લઈને ચાલતા હતાં. પડકારભર્યા સમયે એક રાજ્યનું નેતૃત્વ કાંટાના તાજ પહેરવા જેવું કામ હતું. પરંતુ, લોકમાતાએ તે કર્યું અને પોતાના રાજ્યને નવી દિશા આપી. તેમણે ગરીબમાં ગરીબ વ્યક્તિને સમર્થ બનાવવાનું કામ કર્યું હતું.'

સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કહ્યું કે, આતંકીઓએ નારી શક્તિને પડકાર ફેંક્યો હતો અને આ પડકાર તેમના અને તેમના આકાઓ માટે કાળ બની ગયો. આપણી સેનાએ દુશ્મનના ઘરમાં સેંકડો કિમી દૂર આતંકી ઠેકાણાને તબાહ કર્યા. આ અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન છે. આ ઓપરેશન આપણી નારી શક્તિના સામર્થ્યનું પ્રતિક બન્યું. આપણે બધાં જાણીએ છીએ કે, બીએસએફની ઓપરેશન દરમિયાન ખાસ ભૂમિકા હોય છે. કાશ્મીરથી ગુજરાત સુધી બીએસએફની દીકરીઓએ મોરચો સંભાળ્યો હતો. તેમણે સરહદી ફાયરિંગનો વળતો જવાબ આપ્યો છે. બીએસએફની વીર બેટીઓએ અદ્ભૂત શૌર્ય બતાવ્યું, જે આખી દુનિયાએ જોયું.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application