કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાજપના રાષ્ટ્રિ્રય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા ગુજરાત આવશે. ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રાની શઆત કરાવશે. ૧૦ ઓગસ્ટે રાજકોટ ખાતેથી ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે પી નડ્ડા હર ઘર તિરંગા અભિયાનની શઆત કરાવશે. સમગ્ર દેશમાં ૧૫ મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન યોજાશે.જેનુ પ્રદેશ ભાજપ દ્રારા આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની મહત્વની બેઠક કમલમ ખાતે મળી હતી જેમા સમગ્ર કાર્યક્રમની પરેખા તૈયાર કરવામાં આવી હતી.
ગુજરાત રાયના ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોની બેઠક આજે કમલમ ખાતેથી આ બેઠક મળી હતી. તમામ વિધાનસભા ક્ષેત્ર માંથી તિરંગા યાત્રા કાઢવા માટે થઈને તૈયારીઓ શ કરવામાં આવી છે જેનો પ્રારભં રાજકોટ થી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ૧૦ મી ઓગસ્ટે કરાવશે.
આ હર ઘર તિરંગા યાત્રા અભિયાન ૧૦ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત ખાતેથી હર ઘર તિરંગા અભિયાનની શઆત કરાવશે.મહાનગરો મા વિશાળ જનતા સાથે જન સમૂહમા તિરંગા યાત્રા નીકળશે અને ૫૮૫ મંડળોમાં પદયાત્રા યોજાશે જેમા રાષ્ટ્ર્રીય નેતૃત્વ પણ રેલીઓમા જોડાશે.
ગત વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની મુલાકાત લીધી હતી અને આશરે બે કિલોમીટર સુધી તિરંગા પદયાત્રામાં લોકો જોડાયા હતા. હર ઘર તિરંગા માટેની પદયાત્રામાં મોટી સંખ્યામાં અનેક લોકો જોડાયા હતા. આ યાત્રાને મુખ્યમંત્રી દ્રારા પ્રસ્થાન કરાવવામાં આવ્યા. આ એક પદયાત્રામાં શાળા અને કોલેજના વિધાર્થીઓ પણ હાથમાં તિરંગા લઈ ઉત્સાહભેર મુખ્યમંત્રી સાથે સામેલ થયા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની જાગૃતિ માટે પદયાત્રા સુરત ખાતે યોજવામાં આવી હતી. દેશભરના લોકો આ અભિયાનમાં સામેલ થયા હતા. આ માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે સુરતના પીપલોદના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી તિરંગા પદયાત્રાનું આયોજન સુરતના પીપલોદના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકાઉન્ટર પરથી ડિજિટલ પેમેન્ટ કરીને તિરંગા ખરીદી તેને સ્ટેજ પર જઈ ફરકાવ્યો હતો. લોકોને આહવાન કયુ હતું કે હર ઘર તિરંગા અભિયાનમાં લોકો મોટી સંખ્યામાં જોડાવા જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech