પહેલગામના હુમલાના પગલે ભારતીય કોસ્ટ ગાર્ડ વાડીનાર દ્વારા જાગૃતતારૂપી વાર્તાલાપ યોજાયો

  • April 29, 2025 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોલ ફ્રી નંબર ૧૫૫૪ જાહેર કરાયા


જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને પગલે, ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન વાડીનાર દ્વારા સલાયા, નાના અમલા, ભરણા, વાડીનાર અને શીખા ખાતે ખાસ સમુદાય વાર્તાલાપ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. 

વિવિધ મોટા/નાના બંદરો, ગીચ દરિયાઈ પ્રવૃત્તિઓ, મહત્વપૂર્ણ ઓફશોર સ્થાપનો, ઉચ્ચ મૂલ્ય ધરાવતા ઉદ્યોગો, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન/અભયારણ્ય અને યાત્રાધામો સહિત મહત્વપૂર્ણ દરિયાકાંઠાના માળખાગત સુવિધાઓને કારણે ભૌગોલિક રીતે સંવેદનશીલ, આર્થિક રીતે હત્વપૂર્ણ અને સંવેદનશીલ એવા એઓઆરમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો કરવો જરૂરી છે. 

સુરક્ષા વધારવા માટે, ભારતીય કોસ્ટ ગાર્ડે હિસ્સેદારો સાથે સંકલન કરીને સ્થાનિક લોકો અને માછીમાર સમુદાયને સુરક્ષા પગલાં વધારવા માટે ચેતવણી આપી છે. માછીમારોને પણ અનુરોધ કરવામાં આવે છે કે શંકાસ્પદ બોટ/પ્રવૃત્તિઓ/ડ્રોન વગેરે જોવા મળે તો (જો કોઈ હોય તો) તાત્કાલિક ભારતીય કોસ્ટ ગાર્ડને ટોલ ફ્રી નંબર 1554 અથવા નજીકની સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અને "આંખ અને કાન" તરીકે કાર્ય કરવા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application