મહારાષ્ટ્રના નાગપુરના મહલ વિસ્તારમાં સોમવારે સાંજે ઔરંગઝેબની કબરના વિવાદને લઈને બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. વિશ્વ હિન્દુ પરિષદે ઔરંગઝેબના પુતળાનું દહન કર્યું હતું, ત્યારબાદ અફવા ફેલાઈ હતી કે વિરોધીઓએ પૂતળાની સાથે ધાર્મિક પુસ્તક પણ બાળ્યું હતું. આ કારણે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો, અને ઘણા વાહનોમાં તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી.
પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા
હોબાળો મચાવનારા લોકોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ ઘટનામાં નાગપુરના ડીસીપી અને એક પોલીસકર્મી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને વહીવટીતંત્રને સહયોગ આપવા અપીલ કરી છે અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા જણાવ્યું છે.
નાગપુરના ડીસીપી અર્ચિત ચાંડકે કહ્યું કે આ ઘટના ગેરસમજને કારણે બની હતી અને પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. તેમણે લોકોને બહાર ન નીકળવા અને પથ્થરમારો ન કરવા અપીલ કરી છે. કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે અને તેમના પગમાં પણ ઈજા થઈ છે. હાલમાં નાગપુરમાં તંગદિલી પ્રવર્તી રહી છે, પરંતુ પોલીસ દ્વારા શાંતિ જાળવવાના પ્રયાસો ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુનેગારોને ડામવા ગૃહ રાજ્યમંત્રીનો આદેશ: અધિકારીઓએ આપવું પડશે રિપોર્ટ કાર્ડ
March 17, 2025 10:44 PMઔરંગઝેબની કબરનો વિવાદ વકર્યો: નાગપુરમાં હિંસા, પથ્થરમારો, DCP સહિત અનેક ઘાયલ
March 17, 2025 10:16 PMહીરાસર એરપોર્ટ પર પાણીની બૂમરાણ, મુસાફરો પીવાના પાણી માટે મારે છે વલખાં
March 17, 2025 08:03 PMઅમદાવાદઃ પાલડીમાં ATS અને DRIનો સપાટો: બંધ ફ્લેટમાંથી 95 કિલો સોનું અને 60 લાખ રોકડા જપ્ત
March 17, 2025 07:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech