ગોંડલના જામવાડી ગામે રહેતો સની બાબુભાઇ ધાપા (ઉ.વ.21)નો યુવક અને વોરા કોટડા ગામે રહેતા કૌટુંબિક મામા રમેશભાઈ દામજીભાઇ ગોહેલ બંને ગત તા.13ના રોજ શિવરાજગઢ માતાજીના માંડવામાંથી વોરા કોટડા ગામે રહેતા કૌટુંબિક મામા અજય રાજેશભાઈ ગોહેલના લગ્નના ફુલેકામાં ગયા હતા ત્યારે ગામમાં આવેલી પાનની દુકાનેથી રાત્રીના ઘરે જતા હતા ત્યારે સામેથી આવતા કૌટુંબિક મામા સંજય છગનભાઇ ગોહેલએ બોલાચાલી કરી યુવકનો કાઠલો પકડી ગાળો આપવા લાગતા તેને ગાળો આપવાની ના પાડતા સંજયએ તમે શું અહીં બાધવા માટે આવ્યા છો કહી ઝગડો કર્યો હતો. દરમિયાન ભરત ઉર્ફે જમાદાર બાબુ મકવાણા (રહે-ગોંડલ)ના એ પાછળથી આવી કાચની બોટલ મારવા જતા સાથે રહેલા મામા રમેશભાઈને હાથમાં લાગી હતી. એટલી વારમાં ભરતનો દીકરો લાલુ કૌટુંબિક મામા સંજયનો ભાઈ ચેતનએ પકડી યુવકને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ભરત તેમજ સંજયએ કાચની બોટલ માથામાં માર્ટા યુવક લોહી લુહાણ થયો હતો. દેકારો થતા માણસો ભેગા થઇ ગયા હતા. સંજય પાસે છરી જેવું હથિયાર હોય જે કૌટુંબિક મામા રમેશભાઈને મારવા જતા વચ્ચે પડેલા બીજા કૌટુંબિક મામા દીપકભાઈને હાથમાં ઘા લાગી ગયો હતો. યુવક અને તેના મામાને ઇજા થતા બંનેને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હુમલો કરવા પાછળનું કારણ એવું હતું કે, સનીના કૌટુંબિક મામા રમેશભાઈને ત્રણેક વર્ષથી બીજા કૌટુંબિક મામા સંજય ગોહેલ સાથે મનમેળ ન હોવાથી યુવક કૌટુંબિક મામા અજય ગોહેલના લગ્નમાં ગયો હતો જે વાત નું સારું ન લાગતા ઝગડો કરી હુમલો કર્યો હતો.
બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે સની બાબુભાઇ ધાપાની ફરિયાદ પરથી સંજય છગનભાઇ ગોહેલ (રહે.વોરા કોટડા), ભરત ઉર્ફે જમાદાર બાબુભાઇ મકવાણા (રહે.ગોંડલ), લાલુ ભરતભાઇ ઉર્ફે જમાદાર બાબુભાઇ મકવાણા (રહે.ગોંડલ), ચેતન છગનભાઇ ગોહેલ (રહે.વોરા કોટડા) સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રૂડ ઓઇલ ચાર વર્ષના તળિયે પેટ્રોલ ડિઝલના ભાવ ઘટશે?
April 21, 2025 11:05 AMટ્રમ્પના ટેરિફ ટેરરથી ટ્રુડોની પાર્ટીને ફાયદો
April 21, 2025 11:04 AMખંભાળિયા નજીક હાઈવેની કામગીરી અર્થે આવતીકાલે છ કલાકનો વીજકાપ
April 21, 2025 11:02 AMશ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક એજ્યુકેશન સેમિનાર
April 21, 2025 11:00 AMસિંહોની વસ્તી ગણતરી ૧૦થી ૧૩ મે દરમિયાન હાથ ધરાશે
April 21, 2025 10:55 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech