જુના મનદુઃખનો ખાર રાખીને ભાણવડના યુવાન પર હુમલો

  • June 06, 2025 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઠ સામે ગુનો

ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતા રમેશભાઈ દુદાભાઈ રાવલિયા નામના 35 વર્ષના યુવાન સાથે બોલાચાલી કરી આ જ વિસ્તારમાં રહેતા અરજણ પોલાભાઈ મકવાણા, માંડા મુરૂભાઈ મકવાણા, પાછા કારાભાઈ મકવાણા, કિહા મુરુભાઈ મકવાણા, રાજા કારાભાઈ, નારણ કારાભાઈ, કારા પાલાભાઈ અને હીરા ભુરાભાઈ નામના આઠ શખ્સોએ એકસંપ કરી, લોખંડના પાઇપ તથા લાકડી વડે હુમલો કર્યો હતો. 

આ પ્રકરણમાં આરોપીઓએ ફરિયાદી રમેશભાઈ ઉપરાંત સાહેદ દુદાભાઈને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

ચાર આરોપીઓને ફરિયાદી રમેશભાઈના ભાઈ લખમણભાઈ સાથે જૂનું મનદુઃખ ચાલ્યું આવતું હોય, જેનો ખાર રાખી, અને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કર્યું છે. જે અંગે પોલીસે તમામ આઠ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.


ખંભાળિયાના યુવાનને પોતાના ઘરમાં આવવાની ના કહી, ત્રણ શખ્સો દ્વારા હુમલો

ખંભાળિયાના બરછા પાડા વિસ્તારમાં રહેતા અને હાલ જામનગરની તિરૂપતિ સોસાયટી ખાતે સ્થાયી થયેલા ભાવેશગર અરવિંદગર ગોસ્વામી નામના 35 વર્ષના યુવાન બુધવારે રાત્રિના સમયે અત્રે બરછા સ્ટ્રીટમાં તેમના મકાને આવ્યા હતા. ત્યારે અહીં રહેતા સચિનગીરી ઈશ્વરગીરી ગોસ્વામી, ઈશ્વરગીરી ગોસ્વામી અને ટીનો ઉર્ફે ભાવેશ બળવંતગીરી ગોસ્વામી નામના ત્રણ શખ્સોએ ફરિયાદી ભાવેશને અહીં આવવાની ના કહી હતી. જેથી ભાવેશે તેમને સમજાવવા જતાં ત્રણે આરોપીઓએ એકસંપ કરી, લાકડાના ધોકા વડે તેમને માર મારી, ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે ત્રણેય આરોપીઓ સામે ખંભાળિયા પોલીસે ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application