અફઘાનિસ્તાનના જલાલાબાદમાં અજ્ઞાત લોકોએ નવી માંડવી વિસ્તારમાં સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં કામ કરતા અફઘાન નાગરિકના વાહન પર ગોળીબાર કર્યો, જેના કારણે તે ઘાયલ થયો.જો કે ભારતે લગભગ સાડા ત્રણ વર્ષ પહેલા કોન્સ્યુલેટમાં કામગીરી બંધ કરી દીધી હતી, પરંતુ ઘણા સ્થાનિક કર્મચારીઓ ત્યાં કામ કરી રહ્યા હતા. જેઓ આ હુમલાનો ભોગ બન્યા છે.
અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતના જલાલાબાદમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના સ્થાનિક કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એકનું મોત થયું હતું જયારે 2ને ઈજા પહોચી હતી. જણાવી દઈએ કે ભારતે 2020માં જ જલાલાબાદમાં પોતાનું કોન્સ્યુલેટ બંધ કરી દીધું હતું.
સ્થાનીકોએ કહ્યું કે ભારત અફઘાન અધિકારીઓના સંપર્કમાં છે અને ઘટનાના અહેવાલની રાહ જોઈ રહ્યું છે. આ હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી. અફઘાન મીડિયાના અહેવાલો અનુસાર કોન્સ્યુલેટના અફઘાન કર્મચારીની ઓળખ વદુદ ખાન તરીકે થઈ છે. તે અફઘાન નાગરિક તરીકે કામ કરતો હતો. તાલિબાનના કબજા પછી, ખાન અફઘાનિસ્તાન છોડીને ભારત ગયો. અહેવાલો કહે છે કે ખાન કથિત રીતે થોડા મહિના પહેલા અફઘાનિસ્તાન પાછો ફર્યો હતો અને ફરીથી કોન્સ્યુલેટમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
વદુદ ખાન શિરઝાદ પર ત્રણ વખત હુમલો કરાયો હતો
રિપોર્ટ અનુસાર, વદુદ ખાન શિરઝાદ છેલ્લા 15 વર્ષથી ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં અનુવાદક તરીકે ફરજ બજાવે છે. 2011માં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં વાટાઘાટો બાદ તેને છોડવામાં આવ્યો હતો.
2016માં વદુદ ખાન શિરઝાદ જલાલાબાદમાં વાણિજ્ય દૂતાવાસ પર સશસ્ત્ર હુમલામાં બચી ગયો, પરંતુ તેના ડ્રાઈવરનું મૃત્યુ થયું. આ ત્રીજી ઘટના છે જેમાં વદુદ ઘાયલ થયો હતો અને તેના ડ્રાઈવરે જીવ ગુમાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech