દેવભૂમિનું ગૌરવ
ભાણવડના રહીશ અને વ્યવસાયે શિક્ષક એવા અશોકભાઈ ભટ્ટ છેલ્લા આશરે દોઢ એક દાયકા કરતા વધુ સમયથી પ્રકૃતિ જતન અર્થે દિવસ-રાત સેવા પ્રવૃત્તિમાં કાર્યરત છે. ત્યારે સમગ્ર અમદાવાદ અને આજુબાજુના પંથકમાં પ્રકૃતિ જતન માટે પ્રવૃત્તિમય પર્યાવરણ સંત્રી ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા પ્રકૃતિના જતન અને સંરક્ષણ અર્થે કાર્યરત વ્યક્તિ વિશેષને પર્યાવરણ સંત્રી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવાનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં રાજ્યના દરેક જિલ્લામાંથી પ્રકૃતિ જતન માટે હંમેશા કાર્યરત રહેતા અને વન તેમજ વન્યજીવ બચાવની કામગીરીમાં પોતાનુ જીવન સમર્પિત કરનાર જિલ્લા દીઠ એક - એક વ્યક્તિ કે સંસ્થાને પુરસ્કૃત કરવા પસંદ કરાયા હતા. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ભાણવડ પંથકમાં પ્રકૃતિ અને પર્યાવરણના પ્રહરી તેમજ વન અને વન્યજીવ બચાવ માટે હંમેશા કાર્યશીલ એવા અશોકભાઈ ભટ્ટની પસંદગી કરાઇ હતી.
તાજેતરમાં અશોકભાઈને અમદાવાદ ખાતે સંસ્થા દ્વારા આયોજિત પર્યાવરણ સંત્રી એવોર્ડ - 2024 થી સન્માનિત કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech