આસારામએ સુપ્રીમ કોર્ટમાં આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી. તેમની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે કહ્યું કે આ મુદ્દા પર માત્ર તબીબી આધાર પર જ વિચાર કરવામાં આવશે.
આસારામને 2013ના બળાત્કાર કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. અરજી પર આગામી સુનાવણી 13 ડિસેમ્બરે થશે. બેન્ચે કહ્યું, “અમે નોટિસ જારી કરીશું પરંતુ અમે ફક્ત તબીબી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈશું.
આ અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી
સુપ્રીમ કોર્ટ પહેલા આસારામએ ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી પરંતુ સજાને સ્થગિત કરવાની માગણી કરતી અરજી હાઇકોર્ટે 29 ઓગસ્ટે જ ફગાવી દીધી હતી. સજાને સ્થગિત કરતી વખતે અને જામીન આપવાનો ઇનકાર કરતી વખતે, હાઇકોર્ટે કહ્યું હતું કે રાહત માટે કોઈ કેસ કરવામાં આવ્યો નથી.
ગયા વર્ષે 2023માં ગાંધીનગરની સેશન્સ કોર્ટે આસારામને બળાત્કારના કેસમાં સજા ફટકારી હતી. ગાંધીનગર નજીક આસારામના આશ્રમમાં રહેતી એક મહિલા દ્વારા 2013માં આ કેસ નોંધવામાં આવ્યો હતો.
આસારામ જોધપુર જેલમાં
હાલ આસારામ રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. જોધપુર બળાત્કારના અન્ય એક કેસમાં સજા સામે આસારામની અપીલ આ વર્ષે જાન્યુઆરીમાં રાજસ્થાન હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે તેની અપીલના નિકાલમાં સંભવિત વિલંબ અંગેની તેમની દલીલો, તેની ઉંમર અને તબીબી સ્થિતિ રાહત આપવા માટે સુસંગત નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના દરીયા કિનારાના 100 ગામમાં લગાશે સાયરન.
May 20, 2025 10:52 AMજિલ્લા સંકલન-ફરિયાદ સમિતીની બેઠકમાં નાગરિકોના પ્રશ્નોની રજૂઆત કરતાં હેમંત ખવા
May 20, 2025 10:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech