વાંકાનેર વિસ્તારમાં રવિવારે સાંજથી શરૂ થયેલા વરસાદના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે વાંકાનેર રાજકોટ સાથેનો સંપર્ક તુટી ગયો છે. જેમાં વાંકાનેરના કુવાડવા રોડ પર ખીજડીયા ગામના બોર્ડ પાસે આસોઈ નદી પર તાજેતરમાં ઓવરબ્રિજ પર ગાબડું પડી જતાં તત્રં દ્રારા ઓવરબ્રિજ બધં કરી પુન: જુનો કોઝવે શરૂ કરવામાં આવ્યો હોય જે કોઝવેમાં આ વિસ્તારમાં પડેલ ભારે વરસાદના કારણે આસોઈ નદીમાં પાણીનો પ્રવાહ વધતા કોઝવે બધં થતાં વાંકાનેર–કુવાડવા રોડ પર સમગ્ર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેના કારણે હજારો વાહન ચાલકો અટવાઈ જતા બન્ને તરફ ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા છે. પ્રા માહિતી મુજબ વાંકાનેર–કુવાડવા રોડ પર ખીજડીયા ગામના બોર્ડ પાસે આસોઈ નદી પર બનેલ મહાકાય ઓવરબ્રિજમાં તાજેતરમાં જ ગાબડું પડતા તત્રં દ્રારા સાવચેતીના ભાગરૂપે બ્રિજને બધં કરવામાં આવ્યો હોય અને વાહન વ્યવહાર માટે પુન: જુનો માઈનોર કોઝવે શરૂ કરવામાં આવ્યો હોય ત્યારે વાંકાનેર પંથકમાં પડેલ ભારે વરસાદના કારણે આસોઈ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા જુના કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા કોઝવે બધં થયો છે જેના કારણે બન્ને તરફ હજારો વાહનો અટવાઈ જતાં ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech