આગામી શનિવારે ગણેશ ચતુર્થી છે ત્યારે ભાવનગર શહેરમાં ગણેશજીની મૂર્તિઓનું આગમન થયું છે અને વેચાણ થઈ રહયુ છે. શહેરના જવાહર મેદાન, વાઘાવાડી કાળિયાબીડ,ઘોઘા જકાતનાકા,ભાવનગર પરા સહિતના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિઓનું વેચાણ છેલ્લા થોડા દિવસથી વિક્રેતાઓ દ્વારા કરવામાં આવી રહયુ છે.જેમાં રૂ.૩૦૦થી રૂ.૧૦૦૦૦ સુધીની મૂર્તિઓ વેચાણ માટે રાખવામાં આવી છે.પર્યાવરણને ધ્યાનમાં લઈ મોટા ભાગે મૂર્તિઓ ઈકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે.ગણેશજીની અનેક મૂર્તિઓ ડાયમંડ, સ્ટોન વગેરેથી બનાવવામાં આવી છે.તો ગણેશજીની પાઘડીધારી મૂર્તિઓ પણ આકર્ષણરૂપ બની છે. હાલ ઘરાકી સારી છે અને ૭૦ ટકા બુકિંગ થઈ ગયું છે.આગામી દિવસોમાં મૂર્તિઓના સારા પ્રમાણમાં વેચાણની આશા મૂર્તિના વિક્રેતાઓએ દર્શાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોટા મવા-મવડી વચ્ચેના ન્યુ ઓમ નગરમાં કોરોનાનો કેસ મળ્યો; ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી
May 22, 2025 03:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech