ભાવનગરથી અયોધ્યા માટે શરૂ થનારી નવી કેંટ એક્સપ્રેસ ગાડી માટે રેલવે મંત્રાલયે મંજુરી આપી છે. આ મહત્વપૂર્ણ ગાડીની મંજુરી માટે કેન્દ્રિય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયાના અવિરત પ્રયત્નો સફળ રહ્યા હતા.
મંત્રી એ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ના સહયોગથી ભારતીય રેલવે અભૂતપૂર્વ ગતિથી આગળ વધી રહ્યું છે, ત્યારે ભાવનગરની જનતાને સારી રેલ કનેક્ટિવિટી મળે તે માટે હંમેશા પ્રતિબદ્ધ છું.આવનારા સમયમાં ભાવનગર વધુ સારી રેલવે સેવાઓ સાથે જોડાશે આ ગાડી ચલાવવા માટે કેન્દ્રિય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે મંત્રાલય સાથે થયેલા સતત સંવાદ, રજૂઆતો અને સમર્પિત પ્રયાસોના પરિણામે ભાવનગરથી હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર અયોધ્યા વચ્ચે સીધી રેલ સેવા ઉપલબ્ધ થશે. આ સેવાથી શ્રદ્ધાળુઓને રામજન્મભૂમિ પહોંચવાનું વધુ સરળ અને સુવિધાયુક્ત બનશે. નિમુબેન બાંભણીયાએ આ સિદ્ધિ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતું.અને સમગ્ર ભાવનગરવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. નવી સેવા શરૂ થવાના કાર્યક્રમ તથા સમયપત્રક જલદી જાહેર કરાશેબટમ કહીં વધુમાં તેમણે કહ્યું હતું કે આ ગાડી શરૂ થતા ભાવનગરના ધાર્મિક પ્રવાસ, વ્યાપાર તથા પર્યટન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationથ્રેસર મશીન હેઠળ દબાઈ જતા કલ્યાણપુરના ઇજાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ
June 03, 2025 12:06 PMખંભાળિયાના ખજુરીયા ગામે જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી
June 03, 2025 12:03 PMજામનગર શહેરમાં આજે કોરોનાનો ૧ કેસ
June 03, 2025 12:01 PMજીજી હોસ્પિટલના બે કર્મચારી ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરથી ટીમ તપાસ માટે આવી
June 03, 2025 11:59 AMજામનગરની સરકારી જી.જી. હોસ્પિટલનું વધુ એક ચર્ચાસ્પદ પ્રકરણ સામે આવતાં ભારે ચકચાર
June 03, 2025 11:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech