નિષ્ણાંતો દ્વારા જરૂરી માર્ગદર્શન અપાશે
હાલમાં સમગ્ર વિશ્વમાં વધતા જતા ડાયાબિટીસના રોગ સામે લોકોમાં જાગૃતિ અનિવાર્ય બની રહી છે. ત્યારે ડાયાબિટીસ જળમૂળથી નીકળી જાય તે માટે ખંભાળિયામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી ગુરુવાર તા. 14 થી તા. 28 નવેમ્બર સુધી સતત 15 દિવસ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ખંભાળિયામાં "યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન" નું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ખંભાળિયામાં નગર ગેઈટ પાસે આવેલા યોગ કેન્દ્ર હોલ ખાતે દરરોજ સવારે 6 થી 8 વાગ્યા સુધી આ કેમ્પ યોજાશે. આ આયોજનમાં ખાસ નિષ્ણાતો દ્વારા ડાયાબિટીસને કાબુમાં રાખવા માટે યોગ અભ્યાસ, આયુર્વેદિક જાણકારી તેમજ ઉપચાર આપવામાં આવશે. સાથે સાથે દિનચર્યા પ્રમાણે ડાયેટ પણ સૂચવવામાં આવશે.
ડાયાબિટીસના દર્દીઓને આ રોગથી મહત્તમ રાહત મળી રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. આ કેમ્પમાં સહભાગી થવા માટે https://forms.gle/8RecmopcaqgcsCrZ9 લિંક પર રજીસ્ટ્રેશન અનિવાર્ય છે. ટોકન દરે યોજવામાં આવેલા આ કેમ્પમાં વધુ માહિતી માટે જિલ્લા કો-ઓર્ડીનેટર વનિતાબેન ચાવડા (મો. 97265 30920) તેમજ યોગ ટ્રેનર અમિતભાઈ ગોહિલ (મો. 9727990899)નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech