વૈકલ્પિક વ્યવસ્થાની તાતી જરૂરિયાત
ખંભાળિયા શહેરની જનતાને પીવાના પાણી માટે જીવાદોરી સમાન એક માત્ર ઘી ડેમ હવેની પરિસ્થિતિમાં અપૂરતો બની રહ્યો છે. ત્યારે લગભગ દર વર્ષે છલકાઈને ઓવરફ્લો જતા ઘી ડેમ સિવાય વધુ એક મોટો જળસ્ત્રોત આ વિસ્તારમાં બનાવવામાં આવે તેવી લોકમાંગ છે.
ખંભાળિયા શહેર નજીકના રામનગર વિસ્તારમાં આજથી આશરે પાંચ-છ દાયકા પૂર્વે અંગ્રેજોના સમયમાં ઘી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 20 ફૂટની ઊંડાઈના ઘી ડેમમાં 10 ફૂટ પાણી શહેર માટે તેમજ ત્યાર બાદનું 10 ફૂટ પાણી સિંચાઈ માટે આપી દેવામાં આવે છે. ઘી ડેમના આ પાણીથી ડેમ વિસ્તારના આશરે બે ડઝન જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા સિંચાઈના હેતુ માટે નહેર વાટે પાણી વિતરણ કરાય છે. વર્ષો પૂર્વેની ખંભાળિયાની વસ્તી તથા રચનાને અનુરૂપ ઘી ડેમનું નિર્માણ થયું હતું. જેમના નિર્માણની શરૂઆતમાં દરરોજ શહેરમાં બે વખત પાણીનું વિતરણ કરવામાં આવતું હતું.
પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકા દ્વારા શહેરમાં એકાંતરે અડધો-પોણો કલાક પાણી વિતરણ કરાય છે. શહેરનો વ્યાપ, વિસ્તાર અને નળ જોડાણો (કાયદેસર તથા ગેરકાયદેસર જોડાણો)ની સંખ્યા વધી રહી છે. ત્યારે શહેર માટે રખાતું 10 ફૂટ પાણી અપૂરતું બની રહે છે. આ વચ્ચે મહત્વની બાબત તો એ છે કે અગાઉ આ ડેમ છલકાઈ જાય તો બે વર્ષ સુધી પાણી ખૂટતું ન હતું. છેલ્લા ઘણા વર્ષથી મોટાભાગે ચોમાસામાં ઘી ડેમ ઓવરફ્લો થઈ જાય છે અને તેનું લાખો ક્યુસેક કિંમતી વરસાદી પાણી દરિયામાં વહી જાય છે. સી-પેજનું પાણી પણ દર વર્ષે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમ છતાં પણ વર્ષાંતે ધી ડેમ તળિયા ઝાટક હોય છે.
આ પરિસ્થિતિમાં શહેર માટે ઘી ડેમ જેવો વધુ એક જળ સ્ત્રોત બનાવવો અનિવાર્ય છે. ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા વર્ષો અગાઉ જ્યારે મંત્રી હતા ત્યારે ભાણવડ પંથકમાં અનેક સિંચાઈ યોજનાઓ તેમજ ડેમ બનાવવામાં આવ્યા હતા. વર્તમાન પરિસ્થિતિમાં હાલ ખંભાળિયાના ધી ડેમની જેમ જ અહીં વધુ એક ડેમ બનાવવા પણ જરૂરી પગલાં લેવામાં આવે તેમ આ વિસ્તારની જનતા ઈચ્છી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech