જનજીવન ઉપર ભારે અસર: નવા વર્ષમાં ઠંડી હજુ લોકોને કરશે પરેશાન
જામનગર સહિત સમગ્ર હાલારમાં ટાઢોડુ થઇ ગયું છે, 17 દિવસથી ઠંડીએ જોર પકડયું છે, ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને 20 કિ.મી.ની ઝડપે બર્ફીલો પવન ફુંકાતા હાલાર ઠંડુગાર બની ગયું છે. આજથી ત્રણેક દિવસ સુધી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં હજુ પણ ઠંડીનો વાયરો ચાલી રહ્યો છે, લોકોના જનજીવન પર ભારે અસર પડી છે. સવારના ખાનગી અને એસ.ટી. બસોમાં મુસાફરોની સંખ્યા પણ ઘટી છે, 2025ના નવા વર્ષમાં પણ કાતીલ ઠંડી હજુ પણ લોકોને પરેશાન કરશે અને આગામી શનિવારથી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતુ જણાવે છે કે, શનિવારથી જામનગર સહિત રાજયમાં ત્રણ-ત્રણ દિવસ સુધી કોલ્ડવેવ રહેવાની પુરી શકયતા છે જેને કારણે તંત્રને પણ એલર્ટ રહેવાની સુચના આપી દેવામાં આવી છે, ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે અને જામનગર શહેરમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે. ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે. લોકોએ સ્વેટર, મફલર, ટોપી સહારો લીધો છે અને ખાસ કરીને ઠંડીની અસરને કારણે શરદી, ઉધરસ, તાવના પણ કેસો વઘ્યા છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 13 ડીગ્રી, મહત્તમ તાપમાન 26.5 ડીગ્રી, હવામાં ભેજ 62 ટકા અને પવનની ગતિ 15 થી 20 કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે તેમજ લોકો હવે શિયાળુ ખેતી તરફ વળ્યા છે, ગામડાઓમાં એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી પુરી શકયતા છે.
ભારે શીત લહરને કારણે શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઇ છે, 20 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શ થયા છે. ઠંડીને કારણે જામનગરમાં કાવો, ચા, કોફી, ગાંઠીયા, ભજીયા સહિતની ચીજવસ્તુના વેંચાણમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને શિયાળુ પાક માટે ખેતરમાં કામ કરતા મજુરોને પણ ઠંડીની અસર થઇ છે.
ગઇકાલે ભારે ઠંડીને કારણે જે રીતે ભીક્ષુકો હેરાન થયા હતાં તે જોતાં કેટલાક કાર્યકરોએ ભીડભંજન, ડીકેવી કોલેજ, સાતરસ્તા, પ્રદર્શન મેદાન ખાતે સુતેલા ભીક્ષુકોને ધાબળા અને શાલ અર્પણ કયર્િ હતાં, ગરમ ચીજવસ્તુઓનું વેંચાણ વધી ગયું છે તેવી જ રીતે મીઠાઇ બજારમાં સાલમ પાક, અડદીયા, કાટલાનું વેંચાણ સા એવું વઘ્યું છે, જો કે ગયા વર્ષ કરતા ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. હાપા માર્કેટીંગ યાર્ડમાં વ્હેલી સવારે માલ વેંચવા આવતાં ખેડુતોને પણ ઠંડીને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો અને ગામડાઓમાં પણ બજારો વ્હેલી બંધ થઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech