રાજકોટ એઇમ્સમાં આરોગ્ય સુવિધામાં વધારો થાય એ માટે વધુ એક આધુનિક ઓપરેશન થિયેટરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે એઇમ્સમાં પાંચમુ ઓપરેશન કાર્યરત થયું છે. એઈમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રો. ડૉ.ગોવર્ધન દત્ત પુરીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન થિયેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. એનેસ્થેસિયોલોજી-પેરી ઓપરેટિવ કેર વિભાગે નવા ઓપરેશન થિયેટરને કાર્યરત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ કાર્યક્રમમાં એનેસ્થેસિયોલોજી અને પેરીઓપરેટિવ કેર વિભાગના પ્રો. ડૉ. વિક્રમ વર્ધન, સહાયક પ્રોફેસરો ડૉ. અભિલાષ ડી. મોટેગરે અને ડૉ. નિવેદિતા બોદરા અને સિનિયર નર્સિંગ ઓફિસર ગીતાબેનએ કર્યું હતું.એઇમ્સમાં વધુ એક આધુનિક ઓપરેશન થિયેટર ખુલ્લુ મુકાયું આ પ્રસંગે ડીન પ્રો.ડૉ.સંજય ગુપ્તા, ડેપ્યુટી ડિરેક્ટર એડમિનિસ્ટ્રેશન લેફ્ટનન્ટ કર્નલ અંકુર પ્રતાપસિંહ, એકાઉન્ટ્સ ઓફિસર શ્રીધર વસાણી સહિતના હાજર રહ્યા હતા .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech