જૂનાગઢ પીજીવીસીએલ દ્રારા અનાજ દળતા ઘંટીમાલિકોને ડિપોઝિટ ભરવા નોટિસ આપવામાં આવી છે.કનેકશન લેતી વખતે નિયમ મુજબ રકમ ભરી હોવા છતાં દોઢથી બે ગણો વધારાનો ચાર્જ વસૂલવાની તજવીજથી ઘંટી માલીકોમા રોષ ફેલાયો છે.ડિપોઝિટ ચાર્જ ન વસૂલવા ઘંટીધારકો દ્રારા રજૂઆત કરવામાં આવી છે.આગામી દિવસોમાં રજૂઆતનો નિકાલ નહીં આવેતો ઘંટી માલિકો દ્રારા હડતાળની ચીમકી આપી છે
જૂનાગઢમાં અનાજ દળવાની ૩૫૦ થી વધુ ઘંટી આવેલી છે.પીજીવીસીએલ દ્રારા ઘંટી માલિકોને નવા નિયમના ચાજીર્સના નામે વધારાની ડિપોઝિટ ભરવા નોટિસ આપવામાં આવી છે.ઘંટી મહામંડળના ગીતા નીલ તથા હાનભાઇ ભટીના જણાવ્યા મુજબ સામાન્ય બે થી પાંચ કિલો અનાજ દળી ઘરનું ગુજરાન માંડ ચલાવી રહ્યા છે.પીજીવીસીએલ દ્રારા અગાઉ પાંચ વર્ષ પૂર્વે નોટિસ આપવામાં આવેલી ત્યારે પણ વાંધા અરજી આપવામાં આવી હતી. ત્યારબાદ અમલવારી મૌકુફ રખાઈ હતી. પીજીવીસીએલને કનેકશન સમયે ડિપોઝિટ પેટે .૭,૫૦૦ ભરવામાં આવ્યા હતા. નવા નિયમના ચાજીર્સના નામે ઘંટીધારકોને ૧૦ થી ૧૫ હજારની રકમ ચૂકવવા નોટિસ આપવામાં આવી છે.
જે સામાન્ય લઘુ ઉધોગકારોને પરવડે તેમ નથી જેથી ઘંટી ધારકો દ્રારા પીજીવીસીએલને જટિલ કાયદામાંથી મુકિત અપાવવા માંગ કરી હતી.આગામી દિવસોમાં રજૂઆતનો નિકાલ નહીં આવે તો હડતાળની ચીમકી આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech