ઠેર-ઠેર ગણપતિ સ્થાપન સહિતના વિવિધ આયોજનો
વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહાપર્વ ગણેશ ચતુર્થી નિમિત્તે ખંભાળિયા સહિત આસપાસના વિસ્તારોમાં ગણપતિ સ્થાપન તેમજ દર્શન અને પૂજન-અર્ચના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ખંભાળિયાના પોસ વિસ્તાર નવાપરા શેરી નંબર 1 ખાતે છેલ્લા 13 વર્ષથી ગણેશોત્સવના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવાપરા યુવક મંડળ દ્વારા રામદેવપીરના મંદિર (નવાપરા) ખાતે તારીખ 7 થી તારીખ 17 સપ્ટેમ્બર સુધી 11 દિવસના ગણપતિ સ્થાપનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ સવારે 9 વાગ્યે તથા રાત્રે 9 વાગ્યે મહા આરતી ના આયોજનો વચ્ચે શુક્રવાર તા. 13 ના રોજ રાત્રે ગાયત્રી ગરબા મંડળના ઉપક્રમે અહીં શ્રીનાથજીની ઝાખી રવિવાર તા. 15 ના રોજ અમરનાથ બાબાની ગુફાના દર્શન તેમજ બુધવાર તા. 11 ના રોજ નંદ રાત્રે 10 વાગ્યે નંદ મહોત્સવના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
આ સાથે અહીંના રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ "રામનાથના રાજા" ગણપતિને પાંચ દિવસ સ્થાપિત કરવામાં આવશે. અહીંના રામનાથ સોસાયટીમાં બથીયા ચોક, મેઈન રોડ ખાતે યોજવામાં આવેલા ગણેશ ઉત્સવમાં "રામનાથના રાજા" ગણપતિ સ્થાપન નિમિત્તે તા. 7 ના રોજ સ્થાપન વિધિ, તારીખ 9 ના રોજ ફ્રુટનો અન્નકૂટ, રાત્રે 8 વાગે શ્રીનાથજીની ઝાખી, મંગળવાર તા. 10 ના રોજ અન્નકૂટ દર્શન તેમજ બુધવાર તારીખ 11 મીના રોજ બપોરે વિસર્જન યાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો વચ્ચે દરરોજ સવારે તથા સાંજે પૂજા-આરતી કરવામાં આવશે. જે માટે રામનાથ સોસાયટી મિત્ર મંડળ સહિતના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
ખંભાળિયામાં ગાડીત પાડા વિસ્તારમાં પણ ગણેશોત્સવના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં શનિવાર તા. 7 ના રોજ સવારે 7 વાગ્યે અત્રે જુની લોહાણા મહાજન વાડી દતાણી, જે.જે. હોલ ખાતે ગણેશ સ્થાપના, તા. 8 ના રોજ સાંજે 7 વાગે અન્નકૂટ દર્શન તેમજ સોમવાર તા. 9 ના રોજ સાંજે 4 થી 7 દરમિયાન રાસોત્સવ બાદ ગણપતિ વિસર્જન સહિતના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા ગાડીત પાડા યુવક મંડળ ગણેશ ઉત્સવ પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ સાથે અહીંના બેઠક રોડ, સ્ટેશન રોડ, લુહાર શાળ, વિગેરે વિસ્તારો તેમજ સલાયા સહિતના ગામોમાં પણ ગણપતિ સ્થાપનના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. અનેક ભક્તો દ્વારા પોતાના ઘરે પણ ત્રણ દિવસ, પાંચ દિવસ વિગેરે આસ્થા મુજબ ગણપતિ સ્થાપન કરવામાં આવશે. જેમાં ભક્તિભાવ પૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech