રસ્તેથી નીકળવા બાબતે બોલાચાલી થતા નંદાણાના વૃદ્ધને માર પડ્યો

  • June 11, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા સહિત ચાર શખ્સો સામે નોંધાવાતી ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા કુંભાભાઈ વેજાણંદભાઈ ચાવડા નામના 65 વર્ષના આહિર વૃદ્ધને આ જ ગામે રહેતા ભીમશી રાજશીભાઈ ચાવડા, રાજશી અરજનભાઈ ચાવડા, વજસી અરજણ ચાવડા અને જાનાબેન રાજશી ચાવડા નામના ચાર વ્યક્તિઓએ કુહાડા વડે તેમને બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી, તેમને માથામાં હેમરેજ તેમજ ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા આ અંગેની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. 

ફરિયાદી કુંભાભાઈ ચાવડાના ખેતરના રસ્તેથી આરોપીઓ જતા હોય, જેથી તેમણે આરોપીઓને પોતાની વાડીના રસ્તા પરથી નીકળવાની ના કહેતા ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે જે અંગે કલ્યાણપુર પોલીસે જુદી જુદી કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News