જામનગરના એસટી ડેપો પર આવેલા આણંદ જિલ્લાના વતની એક ખેડૂત બુઝુર્ગનો મોબાઈલ ફોન કોઈ તસ્કરો ગીરદી નો લાભ લઈ ચોરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
મૂળ આણંદ જિલ્લાના ભરોડા ગામના વતની અને ખેતી કામ કરતા કાંતિભાઈ અંબાલાલભાઈ પટેલ (ઉંમર વર્ષ ૭૦) કે જેઓ ગત ૧૫ મી તારીખે જામનગર આવ્યા હતા, અને એસટી બસ ડેપોના પ્લેટફોર્મ નંબર -૧ પર બસની રાહ જોઈને ઊભા હતા, અને ગિરદીમાં બસમાં ચડવા જતાં કોઈ તસ્કરોએ તેમના ખીસ્સામાંથી મોબાઈલ ફોન ચોરી લીધા ની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી તસ્કરની શોધ ખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech