ભાવનગર રેલવે તંત્રની હદમાં દબાણ કરાયેલી દરગાહની આસપાસના ગેરકાયદે કરાયેલા દબાણ અંગે ભારે હોબાળા વચ્ચે હટવાયા હતા. ચૂસ્ત બંદોબસ્ત હોવા છતાં લોકોના ટોળા દ્વારા રોષભેર રેલવે અધિકારીઓ વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.જ્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરતા જેસીબીના કાચ પણ તટી ગયા હતા. ભાવનગર રેલવે તંત્રની હદમાં ડીઆરએમના બંગલાની સામેના ખાંચામાં આવેલી એક દરગાહનું વહેલી સવારથી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું આ ધાર્મિક સ્થળ જેનું નામ મોટા પીરનો છીલ્લો હોવાનું જાણવા મળ્યું છે. તેની આજુબાજુ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું રેલવે તંત્રને જણાવ્યું હતું. અને તેના કારણે ગેરકાયદેસર રીતે ચણવામાં આવેલા તમામ બાંધકામો હટાવી લેવામાં આવ્યા હતા. જોકે દરગાહની મુખ્ય કબર યથાવત રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech