જગત જમાદાર અમેરિકાએ ભારતના પ્રવાસે આવતા નાગરિકોને સલાહ આપી છે કે મણિપુર અને જમ્મુ કાશ્મીર ન જતા.અમેરિકાએ ભારત જનારા પ્રવાસીઓને કહ્યું છે કે ભારતના કેટલાક વિસ્તારોમાં ગુના અને આતંકવાદને કારણે જોખમ વધારે છે, જે માટે અમેરિકાએ તેના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં તેમને મણિપુર, જમ્મુ-કાશ્મીર અને ભારતના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં જવાની મનાઇ કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને લેવલ 2 પર રાખ્યું છે જયારે જમ્મુ-કાશ્મીર, મણિપુર, ભારત-પાકિસ્તાન સરહદ અને મધ્ય-પૂર્વ ભારતના કેટલાક ભાગોને લેવલ 4 પર રાખવામાં આવ્યા છે.
અમેરિકાએ ભારત જનારા પ્રવાસીઓને કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં જાતીય આધારિત નાગરિક સંઘર્ષને કારણે વ્યાપક હિંસા અને સમુદાયના વિસ્થાપ્નના અહેવાલો છે. તેથી, આવા સ્થળોની મુલાકાત લેતી વખતે વધુ સાવચેત રહો. ટ્રાવેલ એડવાઈઝરીમાં અમેરિકાએ કહ્યું હતું કે ભારતીય સત્તાવાળાઓના અહેવાલ મુજબ, બળાત્કાર એ ભારતમાં સૌથી ઝડપથી વધી રહેલા ગુનાઓમાંનો એક છે. પર્યટન સ્થળો અને અન્ય સ્થળોએ જાતીય હુમલો જેવા હિંસક ગુનાઓ બન્યા છે. આતંકવાદીઓ હુમલો કરી શકે છે. તેઓ પ્રવાસી સ્થળો, પરિવહન કેન્દ્રો, બજારો, શોપિંગ મોલ્સ અને સરકારી સુવિધાઓને લક્ષ્ય બનાવે છે.
વિશેષ પરવાનગી મેળવવા સુચના
સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે અમેરિકી સરકાર પાસે ગ્રામીણ વિસ્તારોમાં અમેરિકી નાગરિકોને ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવાની મર્યિદિત ક્ષમતા છે. આ પ્રદેશ પૂર્વી મહારાષ્ટ્ર અને ઉત્તર તેલંગણાથી લઈને પશ્ચિમ પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરેલો છે. એડવાઈઝરી જણાવે છે કે યુએસ સરકારી કર્મચારીઓએ આ વિસ્તારોમાં મુસાફરી કરવા માટે વિશેષ પરવાનગી મેળવવી પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech