એપલ પછી વિશ્વની બીજી સૌથી મોટી અને ટેક જાયન્ટ કંપ્ની એનવિડીયા ભારતમાં રિલાયન્સની સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) ક્રાંતિ લાવશે. ખાસ વાત એ છે કે આ એઆઇ ક્રાંતિ અંગ્રેજીની સાથે હિન્દીમાં થશે. એનવિડીયાના ચીફ જેન્સન હુઆંગ, જેઓ ભારતની મુલાકાતે છે તેમણે ગઈકાલે હિન્દી ભાષા માટે કંપ્નીનું એઆઇ મોડેલ લોન્ચ કર્યું.
ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓએ મુંબઈમાં ચાલી રહેલી એનવિડીયા ઈન્ડિયા સમિટ 2024માં જેન્સન હુઆંગ સાથે મુલાકાત કરી. દેશની સૌથી મૂલ્યવાન કંપ્ની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને જેન્સન હુઆંગે આજે આ સમિટમાં ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
એનવીડીયા ચીફે ભારત અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી સાથે મુલાકાત કયર્િ પછી કહ્યું કે ભારત માટે તેની વિશાળ વસ્તીને એક શક્તિ તરીકે પ્રમોટ કરવાની આ ખૂબ જ સારી તક છે. આ વિશાળ વસ્તીમાંથી મોટી સંખ્યામાં લોકો કોમ્પ્યુટર એન્જિનિયર બની શકે છે અને આ અભૂતપૂર્વ સમય છે. તેમણે આરઆઈએલના ચેરમેનને એમ પણ કહ્યું કે તેઓ આ કાર્ય માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારી કરવા બદલ ગર્વ અને ભાગ્યશાળી અનુભવે છે. અમારી ભાગીદારી દ્વારા માત્ર એક વર્ષમાં એઆઈ ગણતરી ક્ષમતાના 20% થી વધુ ભારતમાં તૈનાત કરવામાં આવશે, અને આ ખૂબ જ ઝડપથી થશે.
ભારતમાં માત્ર 10% લોકો અંગ્રેજી બોલે છે, તેથી ઘણી કંપ્ની હિન્દી અને અન્ય ભાષાઓમાં એઆઇ મોડલ બનાવી રહી છે. સ્મોલ લેંગ્વેજ મોડલ પણ મોટા મોડલ કરતાં સસ્તું હોય છે, જે નાની કંપ્નીઓ માટે ફાયદાકારક બને છે. ટેક મહિન્દ્રા તેના ’ઇન્ડસ 2.0’ પ્રોજેક્ટ માટે આ મોડેલનો લાભ લઈ રહી છે, જે હિન્દી અને તેની બોલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
એનવીડીયા સમિટમાં અંબાણી અને હુઆંગ વચ્ચે વાતચીત થઈ હતી. વાતચીતમાં હળવી ક્ષણો પણ હતી. એનવીડીયા કંપ્નીના નામ અંગે એક અલગ પરિપ્રેક્ષ્ય આપતાં અંબાણીએ કહ્યું કે મારા માટે એનવીડીયા નો અર્થ વિદ્યા શબ્દ સાથે મળતો આવે છે. જેનો અર્થ થાય છે ’જ્ઞાન’ જેના દેવી સરસ્વતી છે. જ્યારે વ્યક્તિ જ્ઞાનના દેવીની પૂજા કરે છે ત્યારે સમૃદ્ધિની દેવી લક્ષ્મી આપોઆપ આવે છે. આના પર હુઆંગએ હસતાં-હસતાં જવાબ આપ્યો, ’ મને ખબર હતી કે 22 વર્ષ પહેલા મેં કંપ્નીનું સાચું નામ રાખ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech