પોરબંદરમાં ઘણા વર્ષોથી નોનવેજ ખાણીપીણીની લારીઓ રીલાયન્સ ફૂવારા સર્કલથી ચોપાટી તરફ જતા રસ્તે ઉભતી હતી જયાં એ સમયના નગરપાલિકાના સત્તાધીશોએ મોટું ડીવાઇડર બનાવીને જગ્યાને બિન ઉપયોગી બનાવી દીધી છેે તેથી ધંધાર્થીઓને નાગાર્જુન સીસોદીયા સ્મારક પાર્ક આજુબાજુ ધંધો કરવોપડે છે ત્યાં અનેકવિધ સમસ્યાઓ સર્જાઇ રહી છે. જેથી ધંધાર્થીઓને ધંધાની મૂળ જગ્યાએ પુન: છૂટ આવી જોઇએ તેવી માંગણી સાથેનું ચાર પાનાનું આવેદન એડવોકેટ દ્વારા પાઠવાયુ છે.
પોરબંદરના એડવોકેટ રામભાઇ પુંજાભાઇ ભુતીયાએ મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિને પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે અગાઉ નોનવેજ, નોનવેજીટેરીયનની રેકડીઓ, લારીવાળાઓને એમની મૂળ જગ્યા એટલે કે તેમનું પહેલાનું સ્થળ પોરબંદર ચોપાટી પાસે કે જ્યાં પોરબંદર મહાનગરપાલિકાનો પાર્ટીપ્લોટ છે. તેમની બાજુમાં પારસી ધર્મનો કુવો એટલે કે કબ્રસ્તાન છે તેના પછી પક્ષીઓને ચણ નાખવાનું સ્થળ છે ત્યારબાદ ચોપાટી શ થાય છે અને આ જગ્યાની સામે બાજુ મુસ્લીમ ધર્મનું કબ્રસ્તાન તથા બસસ્ટેન્ડનો પાછલો ભાગ આવે છે. તો જે આ ચાર મિલ્કતો બતાવેલ છે તેમાંથી ત્રણ મિલ્કતોની માત્ર પાછળની દિવાલો આવે છે. તેમાંથી એક મિલ્કત જે પારસી કુવો (કબ્રસ્તાન) છે તેમનો માત્ર દરવાજો આવેલ છે. પરંતુ પારસી ધર્મની વસ્તુ અહીં ખૂબજ ઓછી છે.
અગાઉ ઉપરોકત જણાવેલ જગ્યા ઉપર આજથી અંદાજિત ૪ થી ૫ વર્ષ પહેલા લોકો ત્યાં ઉભી ધંધો કરતા હતા અને તેમના કુટુંબ પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તે વખતે ત્યાં આ સર્વેને ત્યારના પોરબંદર નગરપાલિકાના પ્રજાના મતથી ચુંટાયેલા સતાધીશોએ ત્યાંથી કાઢી મુકેલ અને પ્રજાના પૈસાનો, સરકારી ખજાનાનો બેફામ દૂરઉપયોગ કરી ત્યાં મહાનગરપાલિકાનો પાર્ટીપ્લોટ છે તે બાજુ ખૂબજ મોટી ફૂટપાથ હતી. ત્યાં દીવાલનું ચણતર કામ કરાવી દીધેલ અને સામી બાજુ પણ એ જ રીતે કરેલ આ બંને વચ્ચે રોડ વચ્ચે મોટું ડીવાઇડર ઉભુ કરી દીધેલ છે.
આ સ્થળ જગ્યા એવી છે કે ત્યાં અત્યાર તેમજ ભવિષ્યમાં સો વર્ષે પણ આ જગ્યા આમ પ્રજા નાગરિકને નડતરપ થાય તેમ નથી. કારણકે, ચોપાટી જવાવાળા આમ જનતાને કુલ ચાર રસ્તા મળે છે. હજુર પેલેસ અને સરકારી વિલ્લા વચ્ચેનો રસ્તો, લોર્ડસ હોટલ અને ઓશિયેનિક હોટલ વચ્ચેનો રસ્તો, નગરપાલિકા પાર્ટીપ્લોટ અને હાથી ગ્રાઉન્ડ વચ્ચેનો રસ્તો, હિન્દુ સ્મશાનભૂમિનો મેઇન એન્ટ્રી ગેઇટથી ઇશ્ર્દ્રેશ્ર્વર મહાદેવ મંદિર થઇને ચોપાટી જઇ શકાય છે તે રસ્તો.
હાલમાં ઉપરોકત જણાવેલ મૂળ જગ્યાએ જે આ નોનવેજ, નોનવેજીટેરીયન લારીવાળા, રેકડીવાળા ઉભતા હતા તે જગ્યા ત્યારના પોરબંદર નગરપાલિકાના ચુંટાયેલા સત્તાધીશોએ આ જગ્યાએથી કાઢી મુકેલ ત્યાં ઉભવાની મનાઇ કરી દીધેલ ત્યાં રોડ વચ્ચે ડીવાઇડર કરી પોરબદર મહાનગરપાલિકાના ચૂંટાયેલા સત્તાધીશોએ ફૂટપાથ કે જે આમ પ્રજાને ચાલવાનો રસ્તો હતો તે કવર કરી ત્યાં ફૂટપાથ ઉપર વૃક્ષો વાવી દીવાલ ઉભી કરી દીધેલ તો આ નિયમ વિધ્ધ કાર્ય કરેલ અને આમ જનતાને ઉલ્લુ બનાવી આ નાટક કરી રેકડી-લારીવાળાઓને ખદેડી મૂકેલા ત્યાં દિવાલ કરી દીધેલી તેથી આમ જનતાને કોઇ ફાયદો થયેલ નથી.
હાલમાં નોનવેજ, નોનવેજીટેરીયન લારીવાળા, રેકડીવાળા હાલજે જગ્યાએ ઉભી પોતાનું ગુજરાન ચલાવે છે તે ભાવસિંહજી હાઇસ્કૂલની દીવાલ છે ત્યાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓને અંદર જવાના બે મુખ્ય દરવાજા જે વિદ્યાર્થીઓએ જિંદગીમાં મુરઘી, મટન, મચ્છી, મરઘીના ઇંડા આ બધ ખુલ્લી રેકડીઓમાં જોવું પડે છે. જેમણે પોતાની જિંદગીમાં આવુ કાંઇ જોયેલ નથી તેના વિચારો, માનસ ઉપર વિકૃત અસર થાય છે. આ વિદ્યાર્થી આવુ બધુ જોઇ અભ્યાસમાં પૂરતુ ધ્યાન આપી શકતા નથી.
તેમજ બસસ્ટેન્ડથી કોઇએ જનરલ નર્સીંગ સ્કૂલ, બાલુબા ક્ધયા વિદ્યાલય તથા મહારાણી પાળીબા લેડી હોસ્પિટલ, ભાવસિંહજી હોસ્પિટલ તથા અન્ય ખાનગી હોસ્પિટલો આવેલી છે ત્યાં જવુ હોય તો ઉપરોકત નોનવેજ, નોનવેજીટેરીયન લારીઓ, કેબીનોવાળા રસ્તેથી જવુ પડે છે અને જે લોકો નોનવેજ ના ખાતા હોય તેઓને ખૂબજ દુર્ગંધ આવેે છે અને નજરે જોતા સુગ ચડતી હોય છે.
ભાવસિંહજી હાઇસ્કૂલના બે દરવાજા પછી ત્રીજો દરવાજો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો છે જ્યાં પણ અનેક શિક્ષિત માણસો, અધિકારીઓ આવતા હોય છે. તો આવું બધુ જોઇને અને તેમના માનસ-વિચારોને પણ અસર પડે છે.
આ ભાવસિંહજી હાઇસ્કૂલની ચારે બાજુની દિવાલે આ બધી નોનવેજ, નોનવેજીટેરીયનની લારીઓ, રેકડીઓ ઉભી છે તે શહીદવીર નાગાર્જુન સીસોદીયા સ્મારક આવેલ છે તેમના મુખ્ય દરવાજા ઉપર બોર્ડ લગાવેલ છે કે પોરબંદર-છાયા નગરપાલિકા સંચાલિત ઉપરોકત જગ્યાએ જવા માટે વિદ્યાર્થીઓ તેમજ પોરબંદરમાં જે બહારથી મુલાકાતી, ટુરીસ્ટો તથા પોરબંદર શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો અહીથી પસાર થાય છે ત્યારે ખુલ્લી રેકડીઓમાં મચ્છી, મટન, મુરઘી, મુરઘીના ઇંડા જોઇ, નોનવેજ ખાવાવાળા મટન, મુરઘી, મચ્છીખાવાવાળાને તેમના હાડકા ચુસતા-ચાટતા હોય તે જોવે ત્યારે આ બધાને સુગ ચડે છે. ઘણાને ઉલ્ટી પણ થાય છે. નફરત પેદા થાય છે અને પોરબંદર નગરપાલિકાની ખરાબ છાપ સાથે લેતા જાય છે. કારણકે અહીથી પસાર થવાવાળા ૯૮% વેજીટેરીયન ખાવાવાળા હોય છે.
તેમજ પોરબંદર મહાનગરપાલિકાની હદમાં જ્યાં જ્યાં નોનવેજના રેસ્ટોરન્ટ કે લારીઓ કે રેકડીઓ છે ત્યા તેના મુખ્ય દરવાજા ઉપર લાલ કલરનો પડદો હોવો જરી છે અને રેકડીઓ અને લારીઓ નોન વેજીટેરીયનની હોય તેમને પણ લાલ કલરનો પડદો લગાડવો જરી છે.
તો પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવતા ખારવાવાડ વિસ્તારમાં જે મચ્છી માર્કેટ, મટન માર્કેટ આવેલી છે એ અગાઉ પોરબંદર નગરપાલિકાની મંજૂરીથી આ જગ્યા ફાળવવામાં આવેલ છે. તે રીતે જે જગ્યા ઉપરોકત શઆતમાં આ પત્રમા જણાવેલ છે તે આ નોનવેજ, નોનવેજીટેરીયન લારીવાળા અને રેકડીવાળાઓને ફાળવવી જોઇએ જેથી કરી આ બધા પોતાના કુટુંબ, પરિવારનું ગુજરાન ચલાવી શકે.
અને જે જગ્યા આ લોકોને ફાળવવાની જગ્યા બતાવેલ છે ત્યાં હાલમાં કે ભવિષ્યમાં આમ જનતાને નડતરપ થાય તેમ નથી. આપની આ જગ્યાની બ મુલાકાત લેશો એટલે બધો આપને પણ ખ્યાલ આવી જશે અને મારુ સૂચન ખરા અર્થમાં સાચુ છે કે ખોટું તેમનો આપને ખ્યાલ આવી જશે. આ નોનવેજ, નોનવેજીટેરીયનની રેકડીવાળા, લારીવાળાઓને કુટુંબ પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજબુરીથી આ ધંધો કરવો પડે છે. આમાંથી કોઇ એવા સંપત્તિવાળા નથી કે જગ્યા ખરીદી શકે તેમ નથી, રેસ્ટોરન્ટ ખોલી શકે તેમ નથી, આમને પણ બાળકો છે તેમના ભણતર-ગણતરની જવાબદારી તેમની ઉપર જ છે. જે ભારત દેશનું ભવિષ્ય છે.
મારી અરજી વાંચી, વિચારીને અમલમાં મૂકશો તેવી આશા હું રાખું છું આ જાહેર પોરબંદર શહેરની આમ જનતા તથા પોરબંદર શ્રીકૃષ્ણ સખા સુદામા તથા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિમાં દર્શને આવતા ટુરીસ્ટો કે જેમણે તેમની જિંદગીમાં આવું કાંઇ જોયેલ નથી અને આવું બધું જોઇને પોરબંદર શહેરની ખરાબ છાપ સાથે લઇને જાય છે તેમના માટે આપને આ બધી માહિતીથી વાકેફ કરુ છું.
આ અંગે કાયદેસરની ફરજ બજાવશો, ફરજમાં બેદરકારી રહેશે તો નાછૂટકે આ અધિકારીઓ સામે ગુજરાતની વડી અદાલતમાં જાહેર જનહિતની અરજ કરવા ફરજ પડે તેની નોંધ લેશો.
તો જાતે તપાસ કરી અથવા યોગ્ય વ્યક્તિ મારફત તપાસ કરાવી યોગ્ય પગલા લેવા અપીલ છે.પોરબંદરના એડવોકેટ રામભાઇ પુંજાભાઇ ભુતીયાએ જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech