રાજકોટની એસએનકે સ્કૂલ ફરી વિવાદમાં આવી છે. સ્કૂલમાં ભણતી ધો.6ની વિદ્યાર્થીની સાથે ધો.11ના વિદ્યાર્થીઓ છેડતી કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થિનીએ કર્યો છે. તેમજ વિદ્યાર્થિનીના માતા-પિતાને પણ ધો.11ના વિદ્યાર્થીઓ ગાળો બોલતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધો. 11માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કર્યાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો,
સ્કૂલવાળાને પાંચ વખત રજૂઆત કરી
વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, આ ઘટના બે મહિનાથી ચાલે છે. છતાં સ્કૂલે કોઈ એક્શન લીધા નથી. ધો. 11ના છોકરાઓ અમારા પર બુલી કરે અને રોફ જમાવે છે. જેમ ફાવે તેમ અમારા માતા-પિતાને પણ બોલે છે. આ છોકરાઓ અમને માર માર્યો છે. પૂરી હાલત ખરાબ થઈ ગઈ છે અને માથું દુખે છે. સ્કૂલવાળાને પાંચ વખત રજૂઆત કરી છતાં કોઈ એક્શન લીધા નથી એટલે અમે પોલીસ ફરિયાદ કરવા આવ્યા છીએ. અમે બસમાં એન્ટર થઈએ ત્યારે છોકરાઓ પગ વચ્ચે રાખે છે. અમારું બેગ સ્હેજ પણ અડી જાય એટલે અમારા માતા-પિતા સામી ગાળો આપે છે.
મારી મમ્મીને પણ તે છોકરાના બાપે મારી
વિદ્યાર્થિનીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે તો હદ જ થઈ ગઈ. અમે તે લોકોને પાંચવાર વોર્નિંગ આપી, અમે તેઓને કહ્યું કે, અમારી સળી કરવાની રહેવા દ્યો. છતાં એ લોકો માનતા નથી. આજે છોકરાના માતા-પિતા અને અમારા પેરેન્ટ્સ આવ્યા હતા. તેમ છતાં તેમના પેરન્ટ્સે અમને જ માર્યા હતા. વાળ પકડીને રોડ પર પછાડીને જતા રહ્યા. અમારી માંગ એટલી છે કે, અમારે એ લોકોને સસ્પેન્ડ કરાવવા છે. અમારે એ છોકરાઓ સ્કૂલમાં કે બસમાં નથી જોઈતા. મારી મમ્મીને પણ તે છોકરાના બાપે મારી છે. વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું હતું કે, પાંચથી છ મહિનાથી ફરિયાદ કરી છતાં કોઈએ પગલા લીધા નથી. લેડીસ ઉપર ઢોર માર મારવામાં આવ્યો છે.
ABVPએ રજૂઆત કરવા સ્કૂલે ગયું તો થયું આવું
આ ઘટનાની જાણ થતાંની સાથે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને હોદ્દેદારો ગઈકાલે બપોરના સમયે એસએનકે સ્કૂલ પર પહોંચી સંસ્થામાં પ્રિન્સિપાલને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, તેઓને સિક્યુરિટીમેન દ્વારા દરવાજા પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. આ અંગે ABVPના હોદ્દેદારોએ સંસ્થાના સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. જે બાદ 14 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી
'છેડતીના આક્ષેપ બાબતે અમારી તપાસ ચાલુ છે'
જોકે, આ મામલે એસએનકે સ્કૂલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સ્કૂલમાં ધો.9ની વિદ્યાર્થિનીઓની ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા છેડતીનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે બાબતે હાલ અમારી તપાસ ચાલુ છે. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ બે જ દિવસમાં આવી જશે. આજે ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન એટલે કે વિદ્યાર્થીઓ ભણતા હતા ત્યારે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા ત્યાં આવ્યા હતા. જેઓને બે દિવસમાં પ્રશ્નનો ઉકેલ આવી જશે તેવી બાહેંધરી આપી હોવા છતાં તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech