ઐશ્વર્યા રાય બચ્ચન મિસ વર્લ્ડ 1994ની વિજેતા રહી હતી. બોલિવૂડ અભિનેત્રીએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, જેની વાર્તાઓ અને પાત્રો આજે પણ લોકો ભૂલી શક્યા નથી. તેણે 'દેવદાસ', 'પોન્નીન સેલવાન', 'હમ દિલ દે ચૂકે સનમ', 'જઝબા' અને 'ગુરુ' જેવી ફિલ્મોમાં પોતાના દમદાર પાત્રોથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. ઐશ્વર્યા રાય માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેના ડાન્સ અને એક્ટિંગ માટે પણ જાણીતી છે. માત્ર હિન્દી જ નહીં, અભિનેત્રી ઐશ્વર્યાએ તમિલ, તેલુગુ, બંગાળી અને હોલીવુડની ફિલ્મોમાં પણ ઘણું નામ કમાવ્યું છે. તેની કારકિર્દીમાં, ઐશ્વર્યા રાયે મેકઅપ વિના આખી ફિલ્મ શૂટ કરી હતી જે બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ રહી હતી.
ઐશ્વર્યા રાયે વગર મેકઅપએ કરી હતી આ ફિલ્મ
1999માં રીલિઝ થયેલી સુભાષ ઘાઈની ફિલ્મમાં ઐશ્વર્યા રાયે મેકઅપ વગર અને સિમ્પલ લુકમાં શૂટ કર્યું હતું. આ ફિલ્મમાં તેની કુદરતી સુંદરતા જોઈને લોકો તેના દિવાના થઈ ગયા હતા. અમે વાત કરી રહ્યા છીએ હિન્દી રોમેન્ટિક ડ્રામા 'તાલ'ની. ઐશ્વર્યા રાયની 'તાલ' 90ના દાયકામાં તેની કરિયરની હિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં મેકઅપ વિના પણ ઐશ્વર્યા રાય દરેક સીનમાં ખૂબ જ સુંદર અને પરફેક્ટ લાગતી હતી. જ્યારે 'ઈન્ડિયન આઈડલ'ના સ્ટેજ પર પૂછવામાં આવ્યું કે શું ઐશ્વર્યાએ આખી ફિલ્મ 'તાલ'ને મેકઅપ વગર શૂટ કરી છે, તો સુભાષ ઘાઈએ આ વાતનો ઉલ્લેખ કરતા હા પાડી અને કહ્યું કે મોટાભાગનું શૂટ મેકઅપ વગર કરવામાં આવ્યું છે. સુભાષ ઘાઈએ કહ્યું હતું કે તેમને નથી લાગતું કે ઐશ્વર્યાને સુંદર દેખાવા માટે મેકઅપ કરવાની જરૂર હોય અને એશે આ પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે.
ઐશ્વર્યા રાયની આ ફિલ્મે ધૂમ મચાવી હતી
'તાલ'માં ઐશ્વર્યા રાય સાથે અનિલ કપૂર અને અક્ષય ખન્નાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના દરેક પાત્રે પડદા પર પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. જ્યારે 'તાલ' હિન્દીમાં સુપરહિટ બની, ત્યારે તેને તમિલમાં થાલમ તરીકે ડબ કરવામાં આવી. 'તાલ'નું સત્તાવાર રીતે શિકાગો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, 2005 એબર્ટફેસ્ટ, રોજર એબર્ટના ફિલ્મ ફેસ્ટિવલમાં અને 45મા આઈએફએફઆઈમાં સેલિબ્રેટિંગ ડાન્સ ઈન ઈન્ડિયન સિનેમા સેક્શનમાં પ્રીમિયર કરવામાં આવ્યું હતું, જે ભારત માટે ગર્વની વાત છે .
આ સ્ટાર માટે આ ખાસ હતી તાલ ફિલ્મ
આ ફિલ્મ વેરાયટીની બોક્સ-ઓફિસ યાદીમાં ટોચના 20માં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય ફિલ્મ હતી. 45મા ફિલ્મફેર પુરસ્કારોમાં, 'તાલ'ને શ્રેષ્ઠ દિગ્દર્શક માટે સુભાષ ઘાઈ અને શ્રેષ્ઠ અભિનેત્રી માટે ઐશ્વર્યા રાય સહિત 12 નોમિનેશન મળ્યા હતા. અનિલ કપૂરને સર્વશ્રેષ્ઠ અભિનેતા, એઆર રહેમાનને શ્રેષ્ઠ સંગીત અને આનંદ બક્ષીને શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech