મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભારે વરસાદને કારણે હવાઈ સેવા ખોરવાઈ ગઈ છે. પીટીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવામાનને જોતા રવિવારે મુંબઈ એરપોર્ટ પરથી 36 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે સુવિધા ઓપરેટરને વરસાદને કારણે લગભગ એક કલાકની અંદર બે વાર રનવેની કામગીરી સ્થગિત કરવી પડી હતી.
સૂત્રના જણાવ્યા અનુસાર છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રદ કરાયેલી ફ્લાઈટ્સ ઈન્ડિગો તેમજ એર ઈન્ડિયા અને વિસ્તારાની હતી. સૂત્રોએ એજન્સીને જણાવ્યું હતું કે, "શહેરમાં તૂટક તૂટક ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે રવિવારે 18 પહોંચતી અને પ્રસ્થાન કરતી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી."
રનવેની કામગીરી બે વખત અટકાવાઈ
રદ્દ કરાયેલી ફ્લાઈટ્સમાં ઈન્ડિગોની 24 ફ્લાઈટ્સ અને એર ઈન્ડિયાની 8 ફ્લાઈટ્સ સામેલ છે. વિસ્તારાએ મુંબઈ એરપોર્ટ પર તેની ચાર ફ્લાઈટ્સ પણ રદ કરી છે. અગાઉ એવું નોંધવામાં આવ્યું હતું કે ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે રનવેની કામગીરી બપોરે 12.12 વાગ્યે આઠ મિનિટ અને બાદમાં 1 વાગ્યાથી 1.15 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech