રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મકર સંક્રાતિની પૂર્વ સંધ્યાએ એક લાખ કિલો જિંજરાની આવક થઇ હતી અને પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર સરેરાશ .૨૫૦થી ૩૫૦ સુધી રહ્યો હતો.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા માવઠું વરસ્યું હતું જેનાથી ચણાના પાકને નુકસાન પહોંચ્યું હતું તેથી આ વર્ષે જિંજરાની આવક ઓછી છે અને ભાવ વધુ છે તેમજ ગુણવત્તા પણ હોવી જોઇએ તેવી રહી નથી. ટોપ કવોલિટીના જિંજરા યાર્ડની હરરાજીમાં પ્રતિ ૨૦ કિલોના .૩૫૦ના ભાવે વેંચાયા હતા. ગત વર્ષની તુલનાએ આ વર્ષે ૨૫ ટકા આવક ઓછી છે.
મોરબી અને સુરેન્દ્રનગર પંથકના વેપારીઓ રાજકોટ યાર્ડમાં જિંજરા ખરીદવા આવ્યા
મકર સંક્રાંતિના દિવસે જિંજરાનું ધૂમ વેંચાણ થતું હોય આજે વહેલી સવારથી વેપારીઓ ખરીદીમાં ઉમટી પડા હતા. ખાસ કરીને આ વર્ષે માવઠાને કારણે ઉત્પાદન ઓછું અને નબળું હોય મોરબી અને સુરેન્દ્રનગર સહિતના પંથકના વેપારીઓ પણ રાજકોટ યાર્ડમાં જિંજરાની ખરીદી કરવા ઉમટા હતા.
જિંજરાની હરાજી ગત રાત્રે ૧૦થી આજે સવારે ૧૦ સુધી ચાલુ રહી !
જિંજરાની એક લાખ કિલોની આવક થતા રાજકોટના જુના માર્કેટ યાર્ડ સંકુલ ખાતે કાર્યરત શાકભાજી વિભાગમાં રાત્રે ૧૦ વાગ્યાથી જ જિંજરાની હરરાજી શ કરાઇ હતી જે આજે વહેલી સવારે ૧૦ વાગ્યા સુધી ચાલુ રહી હતી ત્યારે માંડ ઉપલબ્ધ જથ્થાનો નિકાલ થયો હતો. કાલે રવિવારની રજા હોય આજે મોડે સુધી હરરાજી ચાલુ રાખવામાં આવી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech