વિજયાદશમી પર કરાયું કલયુગની રામાયણનું એલાન
'ગદર એક પ્રેમ કથા' અને 'ગદર 2' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોથી દર્શકોનુ મનોરંજન કરનાર અનિલ શર્માએ હવે તેની આગામી ફિલ્મની જાહેરાત સાથે ચાહકોમાં તહલકો મચાવી દીધો છે.
બોલીવુડના ફેમસ ડાયરેક્ટર અનિલ શર્મા 'ગદર એક પ્રેમ કથા' અને 'ગદર 2' બાદ હવે હજુ એક નવી જબરદસ્ત કહાની સાથે દર્શકો વચ્ચે આવવા તૈયાર છે. અનિલ શર્માએ દશેરાના દિવસે ફેન્સને પોતાની અપકમિંગ ફિલ્મની માહિતી આપતા સરપ્રાઇઝ કર્યા. પોની બ્લોકબસ્ટર 'ગદર: એક પ્રેમ કથા' અને 'ગદર: 2 ધ કથા કન્ટીન્યુ' માટે ફેમસ અનિલ શર્માએ પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી, જેનું નામ 'વનવાસ' છે
આ ફિલ્મ જી સ્ટુડિયો બેનર હેઠળ બનશે. સોશલ મીડિયા પર ડાયરેક્ટરોએ જાહેરાત કરતા વિડીયો શેયર કર્યો જેમાં, 'અપને હી અપનો કો દેતે હે: વનવાસ' ની પહેલી ઝલક બતાવી છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, ' કહાની જિંદગી કઈ.. કહાની જજ્બાત કી. કહાની અપનો કે વિશ્વાસ કી! શુદ્ધ પરિવાર સાથે જુઓ પરિવારની ફિલ્મ, #વનવાસ, જલ્દી તમારા નજીકના થિએટરોમાં આવી રહી છે.
ઉત્કર્ષ શર્મા પણ રહેશે 'વનવાસ' નો ભાગ
અનિલ શર્માએ શેયર કરેલી પોસ્ટમાં આગામી ફિલ્મના સ્ટારકાસ્ટનું પણ નામ જણાવ્યું છે. આ ફિલ્મમાં નાના પાટેકરની સાથે ખુશ્બુ સુંદર, ઉત્કર્ષ શર્મા, રાજ્યપાલ યાદવ અને સિમરત કૌર જેવા સ્ટાર પણ જોવા મળશે. ઉત્કર્ષ અને સિમરત કૌરે અગાઉ ગદર 2 માં સાથે કામ કર્યું હતું. ડાયરેક્ટરોએ અને એક ભાવનાત્મક પારિવારિક ડ્રામા કહી છે. આ પહેલા 'અપને' ના મધ્યમે અનિલ શર્મા દર્શકોને ઈમોશનલ કરવામાં સફળ રહ્યા હતા.
કળિયુગની રામાયણ છે વનવાસ
વનવાસ વિશે વાત કરતાં અનિલ શર્માએ કહ્યું, ' રામાયણ અને વનવાસનું એક અલગ સ્વરૂપ છે જ્યાં બાળકો પોતાના માતા-પિતાને વનવાસ અપાવતા હોય છે. કલિયુગ કા રામાયાણ જહા અપને હી દેતે હૈ અપનો કો વનવાસ.' અનિલ શર્માની આ જાહેરાત પછી ફેન્સ ખૂબ ઉત્સાહમાં આવી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech