ભાવનગર શહેરમાં આભમાંથી અંગારા વરસતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.મહત્તમ તાપમાન સીધુ ચાર ડિગ્રી વધીને ૪૨.૨ ડિગ્રી નોંધાયું હતુ. જે આ સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે.લઘુતમ તાપમાન ૨૫.૭ ડિગ્રી રહયું હતું.ભેજ ૫૧ ટકા, પવનની ઝડપ ૧૪ કિમી. રહી હતી. આકરી ગરમીથી બપોરે રસ્તાઓ સૂમસામ બન્યા હતા.સખ્ત ગરમીના કારણે ઠંડા પીણા, આઈસક્રીમની ખપત વધી છે.
ભાવનગર શહેરમાં બે દિવસ પહેલા મહત્તમ તાપમાન ઘટીને ૩૭થી ૩૮ ડિગ્રી થતા ગરમીથી લોકોને રાહત મળી હતી.છેલ્લા એક સપ્તાહથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા.ગરમી અને બફારાથી લોકો પરસેવે રેબઝેબ થયા હતા. શહેરમાં આભમાંથી અંગારા વરસતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.મહત્તમ તાપમાન સીધુ ચાર ડિગ્રી વધીને ૪૨.૨ ડિગ્રી થતા બપોરે રસ્તાઓ પર લોકોની અવરજવર નહિવત બનતા સૂમસામ બન્યા હતા.
સખ્ત ગરમીના કારણે ઠંડા પીણા, આઈસક્રીમની ખપત વધી છે. ઠંડી છાશ,લસ્સી,લીંબુ સરબત, વરિયાળી સરબત,નારિયેળ પાણી,તરબૂચ, સક્કરટેટી તેમજ અન્ય ઠંડા પીણા અને આઈસક્રીમની ખપત વધી છે.જ્યારે ગરમીથી બચવા ટોપી અને ગોગલ્સની ખરીદી પણ વધી છે. મહત્તમ તાપમાન છેલ્લા ૨૪ કલાકમાં સીધુ ચાર ડિગ્રી વધીને ૪૨.૨ ડિગ્રી નોંધાયુ હતુ. આથી કાળઝાળ ગરમીથી લોકો ભારે ત્રાહિમામ પોકારી ગયા હતા.જ્યારે લઘુતમ તાપમાન આજે સવારે ૦.૯ ડિગ્રી વધીને ૨૫.૭ ડિગ્રી નોંધાયુ હતુ.આજે મંગળવારે સવારે ભેજ ૫૧ ટકા નોંધાયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૪ કિ.મી. રહી હતી.
ગત સપ્તાહમાં લઘુતમ તાપમાનમાં વધારો થતા ગરમીનું પ્રમાણ વધ્યુ હતું.ખાસ કરીને બપોરે ઉનાળા જેવી આકરી ગરમી રહી હતી.રાત્રે પણ હવે તાપમાન વધુ રહેતા ગરમી રહે છે.એપ્રિલ માસના ત્રીજા સપ્તાહમાં મહત્તમ તાપમાન ૩૭થી ૪૨ ડિગ્રી જેટલું રહયું છે. આથી આ વર્ષે ગત વર્ષ કરતા પણ ઉનાળો વધુ આકરો મિજાજ દર્શાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધારે રહે તેમ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ શહેરમાં સવારે અને રાત્રે ઠંડી, જ્યારે બપોરે ગરમીના કારણે મિશ્ર ઋતુનું વાતાવરણના કારણે તાવ,શરદી,ઉધરસ,ઝાડા વગેરેના દર્દીઓનું પ્રમાણ વધ્યુ છે.આથી દવાખાનામાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટમંત્રી મુળુભાઇ બેરા તા. ૧૭ થી ૧૯ એપ્રિલ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે
April 17, 2025 10:36 AMજામનગરમાં રિવરફ્ન્ટ પ્રોજેક્ટનું પ્રથમ ચરણમાં કામ શરૂ
April 17, 2025 10:34 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech