કોઈ અરજી કરતું નથી: રાજ્ય આચાર્ય સંઘની મુખ્યમંત્રીને ફરિયાદ
ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં આશરે 1500 થી વધુ આચાર્યની જગ્યા લાંબા સમયથી ખાલી છે. આ અંગે તાજેતરમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ભરતી માટેની કાર્યવાહી કરવામાં આવતા તેમાં કોઈપણ અરજી કરતું ન હોવાનું બહાર આવતા આશ્ચર્ય સર્જાયું છે.
શિક્ષણ વિભાગ દ્વારા અન્યાયી રીતે રાજ્યમાં આચાર્ય સિવાય તમામ શિક્ષક, પટાવાળા, ક્લાર્કની બઢતીની જોગવાઈ કરી છે. પણ પરંતુ આચાર્યની બઢતી કે ખાસ પગાર પેકેજ પણ નથી. તેથી એવી સ્થિતિ થાય છે કે એક જ શાળા કે સંસ્થામાં બે શિક્ષકો જોડાયા હોય તો તેમાંથી એક શિક્ષક રહે અને બીજો આચાર્ય થાય તો આચાર્યને બઢતીના મળે. પણ શિક્ષકને 9-20-31 એમ ત્રણ વખત નોકરીના વર્ષો દરમિયાન ખાસ ઉચ્ચતર પગાર ધોરણ મળે. જેથી પરિસ્થિતિ એવી થાય કે એક જ સાથે નોકરીમાં લાગેલા શિક્ષકનો પગાર આચાર્ય કરતા વધુ થઈ જાય અને જવાબદારી ઓછી.
આના કારણે 5-1-65 ના પરિપત્રથી શિક્ષક આચાર્ય થતાં એક જ ઇજાફાનો લાભ મળતો. પણ ડી.એ.ટી. દ્વારા આ ઇજાફો બંધ કરાતા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની ઉગ્ર રજૂઆતો પછી 15-9-23 ના આ ઇજાફા કોને અને કેવી રીતે મળે તેની સ્પષ્ટતા પરિપત્ર થવા જતા પણ ડી.એ.ટી.ના અધિકારીઓ ખુદ રાજ્યના મુખ્યમંત્રી એ મંજૂર આ નિયમોનું પાલન ન કરતા હોય, રાજ્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, અધ્યક્ષ જે.પી. પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરી છે. ઇજાફો ન અપાતા રાજ્યમાં કોઈ આચાર્ય થવા તૈયાર નથી. જેથી કોઈ અરજી કરતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech