નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં અદાણી ગ્રુપની કંપનીઓએ કુલ ૭૪,૯૪૫ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ચૂકવવામાં આવેલા ટેક્સ કરતા લગભગ ૨૯ ટકા વધુ છે. જૂથે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૫૮,૧૦૪ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો. અદાણી ગ્રુપ દ્વારા ચૂકવવામાં આવેલા ૭૪,૯૪૫ કરોડ રૂપિયાના ટેક્સમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ તેમજ કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે કરવામાં આવેલ ચુકવણીનો સમાવેશ થાય છે. જૂથે તેના ઉત્તમ પ્રદર્શનના આધારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ચોથા ક્વાર્ટરમાં જબરદસ્ત નફો કર્યો હતો.
અદાણી ગ્રુપનું કુલ યોગદાન 29 ટકા વધીને 74,945 કરોડ રૂપિયા થયું
અદાણી ગ્રુપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025 (એપ્રિલ 2024 થી માર્ચ 2025) માટે લિસ્ટેડ કંપનીઓ દ્વારા સરકારી તિજોરીમાં અદાણી ગ્રુપનું કુલ યોગદાન 29 ટકા વધીને 74,945 કરોડ રૂપિયા થયું છે જે નાણાકીય વર્ષ 2023-24 માં 58,104 કરોડ રૂપિયા હતું. ગ્રુપે જણાવ્યું હતું કે તેની લિસ્ટેડ કંપનીઓ, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (એઈએલ), અદાણી સિમેન્ટ લિમિટેડ (અદાણી સિમેન્ટ લીમીટેડ), અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડએ સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે.
આમાં ગ્રુપની 7 લિસ્ટેડ કંપનીઓ
કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આમાં ગ્રુપની 7 લિસ્ટેડ કંપનીઓ - અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ, અદાણી પાવર લિમિટેડ, અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ દ્વારા જારી કરાયેલા સ્વતંત્ર વાર્ષિક અહેવાલોનો ડેટા શામેલ છે. આ આંકડામાં ત્રણ અન્ય લિસ્ટેડ કંપનીઓ એનડીટીવી, એસીસી અને સંઘી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સનો પણ સમાવેશ થાય છે જે ઉપરોક્ત 7 કંપનીઓ દ્વારા નિયંત્રિત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech