ખંભાળિયા તાલુકાના સલાયા બંદર વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા ચેકિંગ કાર્યવાહી કરી અને મત્સ્યોદ્યોગ કાયદાનું ઉલ્લંઘન કરતા માછીમારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ સલાયામાં રહેતા ફારૂક સુલેમાન બારોયા, ફિરોજ અજીજ ભગાડ, અસલમ જુસબ બારોયા અને ઈરફાન અલીમામદ સંઘાર નામના ચાર માછીમારો દ્વારા તેમની જુદી જુદી ફિશીંગ બોટમાં માછીમારી કરવા જતા આ દરમિયાન હવામાન સંબંધી આગાહીઓ સાંભળવા માટેના ટ્રાન્ઝિસ્ટર રેડિયો અથવા રાજ્ય સરકાર દ્વારા વખતોવખતના ઠરાવ તેવા આ પ્રકારના સંદેશા વ્યવહારના કોઈ સાધનો ન રાખતા આ તમામ ચાર આસામીઓ સામે સલાયા મરીન પોલીસ મથકમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બીમારીથી કંટાળીને બેહ ગામના યુવાને આપઘાત કર્યો
ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા લાખાભાઈ મંગાભાઈ સંધીયા નામના 34 વર્ષના ગઢવી યુવાન છેલ્લા કેટલાક સમયથી પોતાની બીમારીથી કંટાળી ગયા હોય, આ પરિસ્થિતિમાં તેમણે પોતાના હાથે પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ પાલાભાઈ મંગાભાઈ સંધીયાએ અહીંની પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅગ્નીવીર આર્મી ભરતી રેલી માટે આગામી તા.૨૫ એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
April 16, 2025 05:12 PMઉનાળામાં આ રીતે લગાવો મુલતાની માટી, ચહેરો બનશે સોફ્ટ અને શાઈની
April 16, 2025 04:54 PMરાજકોટમાં ચારની જિંદગી કચડી નાખનાર સિટી બસ ડ્રાઇવર શિશુપાલસિંહ રાણા તાત્કાલિક અસરથી ટર્મિનેટ
April 16, 2025 04:53 PMમિસ્ટર મ્યુનિસિપલ કમિશનર, હ્યુમન લોસની ભરપાઇ આર્થિક સહાયથી થઇ શકે ખરા ?
April 16, 2025 04:45 PMકેરી સાથે ક્યારેય ન ખાઓ આ 5 વસ્તુઓ, આ આદત તમને કરી શકે બીમાર
April 16, 2025 04:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech