કુંભારવાડામાં વધુ ૫૦ જેટલાં દબાણ તોડી પડાયા

  • March 19, 2025 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઢેચી શુદ્ધિકરણ યોજના હેઠળ તંત્ર એ  ગઈકાલે  ફેઝ -૩માં   અડચણરૂપ દબાણો હટાવવાની હાથ ધરવામાં આવેલી કાર્યવાહી આગળ ધપી રહી છે. જેમાં આજે બુધવારે સવારથી બપોર સુધીમાં ૫૦ જેટલા યોજનામાં અડચણરૂપ કાચા-પાકા દબાણો તોડી પાડવાન આવ્યા હતા.
ભાવનગર મહાપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ યોજના સંદર્ભે શહેરના ગઢેચીવડલાથી કુંભારવાડા, મોતીતળાવ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો અડચણરૂપ હોય અગાઉ મહાપાલિકા દ્વારા આ તમામ અડચણરૂપ બાંધકામોના આસામીઓનવા નોટીસ આપી નિયત સમયમાં આધારો રજૂ કરવા સૂચનાઓ આપી હતી. જે પૈકી કેટલાક આસામીઓ દ્વારા આધારો રજૂ કર્યા હતા. ત્યારબાદ મહાપાલિકા દ્વારા અડચણરૂપ એવા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા આપેલી આખરી નોટીસ બાદ નોરીસમાં આપેલ સમયમર્યાદા પૂર્ણ થતા જ  મહાપાલિકાની જુદીજુદી બે ટીમો   શહેરના કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં ત્રાટકી હતી. અને ફેઝ -૪માં ૨ હિટાચી તેમજ ૪ જેસીબી વડે ગઢેચી શુદ્ધિકરણ યોજનામાં અડચણરૂપ ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કાર્યવાહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ હાથ ધરી હતી. ફેઝ -૪માં કાર્યવાહી દરમ્યાન યોજનામાં અડચણરૂપ  દબાણો તોડી પાડી જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.  દરમ્યાન  મહાપાલિકા  તંત્ર દ્વારા ગઢેચી શુદ્ધિકરણ યોજના હેઠળ ફેઝ -૩માં ગઈકાલ થી  કાર્યવાહી હાથ ધરવામાં  આવી છે.  જેમાં કુંભારવાડા મોક્ષમંદિર, પુલથી ગઢેચી વડલા તરફના રોડ પરના કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા બાદ આજેસવારથી શરૂ થયેલી કામગીરીમાં  રેલ્વે ફાટક સુધીના યોજનામાં અડચણરૂપ ૫૦જેટલા કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા છે.  આજે ત્રીજા દિવસે પણ મહાપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે   બે હિટાચી તેમજ જેસીબી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. અને ફેઝ-૩માં ચાલી રહેલી કાર્યવાહી સાંજ સુધી જારી રહેનાર હોવાનું એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application