આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું કે નહીં તે અંગે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું તે અંગે નિર્ણય લેવાશે. આગામી 13 તારીખે મળનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે. AAP હાઈ કમાન્ડના નેતાઓ સાથે ચર્ચા કરી રણનીતિ જાહેર કરવામાં આવશે.
ભાજપ પર પ્રહાર કર્યા
ગોપાલરાયે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વિસાવદરનો વિકાસ ભાજપને કારણે અટકી પડ્યો છે. વિસાવદરના મતદારો અને ખેડૂતોએ ભાજપને જાકારો આપ્યો છે.
છેલ્લા દોઢ વર્ષથી વિસાવદરમાં ધારાસભ્ય નથી. 13 તારીખથી વિસાવદરમાં AAP ચૂંટણી કેમ્પેઈન શરૂ કરશે.
કોંગ્રેસના અધિવેશન મામલે શું કહ્યું
ગોપાલ રાયે કોંગ્રેસ અધિવેશન મામલે કહ્યું કે, કોંગ્રેસને અધિવેશન કરવાની જરૂર જ હતી. ભાજપથી નારાજ થયેલા ગુજરાતના લોકો કોંગ્રેસના સમર્થનમાં આવ્યા જ છે. રાહુલ ગાંધીએ પણ કહ્યું કે, કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે ભળેલા છે. ભાજપથી મતદારો નારાજ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech