રાજકોટમાં ત્રણ મહિના પહેલા સર્જાયેલા ૨૭ માનવીનો ભોગ લેનાર ગેમ ઝોન અિકાંડના મુખ્ય આરોપી મહાપાલિકાના ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા સામે ૨૮ કરોડની અપ્રમાણસર મિલકતો અંગે એન્ટીકરપ્શન બ્યરો દ્રારા વિશેષ તપાસ કરીને ૮૦૦ પાનાનું ચાર્જશીટ આજે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં તા. ૨૮ ૦૫ ૨૦૨૪ના રોજ કાલાવડ રોડ નાના મવા પાસે ટી.આર.પી.ગેમઝોનમાં થયેલા ભયાનક અિકાંડની તપાસ દરમ્યાન મુખ્ય આરોપી ટાઉન પ્લાનિંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાની મિલ્કતોની ઝડતી તપાસ દરમ્યાન કરોડોની અપ્રમાણસર મિલ્કતો મળી આવી હતી. આથી એન્ટીકરપ્શન બ્યુરો દ્રારા અિકાંડના કેસની તપાસ દરમ્યાન ૨૮ કરોડની અપ્રમાણ સર મિલકતો અંગે સાગઠીયા વિધ્ધ ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ હેઠળ અલગથી કેસ નોંધાયો હતો. આ કેસની વિશેષ તપાસ દરમ્યાન પણ સાગઠીયાના કુટુંબીજનોના નામે મોટા પ્રમાણમાં મિલ્કતો મળી આવી હતી. સાગઠીયા વિધ્ધના આ કેસમાં મિલ્કતોની કિંમત કરોડોમાં થતી હોવાથી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ રાજય સરકારે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરાને આ કેસ માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટર નિમેલ છે. દરમિયાન આ કેસમાં આજરોજ બપોરના ૧૩૦૦ કલાકે આરોપી મનસુખ સાગઠીયા વિધ્ધ ૮૦૦ પાનાનું ચાર્જશીટ રજુ કરવામાં આવેલ છે અને ચાર્જશીટના કાગળો આરોપીને પુરા પાડા બાદ ત્હોમતનામું (ચાર્જ ફ્રેમ) ફરમાવવા માટે હવે પછીની તારીખ નકકી થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech