શહેરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. આ વચ્ચે વધુ એક યુવકએ આપઘાત કરી લીધાનું પોલીસ ચોપડે નોંધાયું છે. કોઠારીયામાં રહેતાં યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. યુવકના ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા. બનાવના પગલે આજીડેમ પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા ગામમાં ગોપાલ હેરીટેજ સરકારી સ્કૂલની પાસે રહેતાં અર્જુન હરેશભાઇ ડવ (ઉ.વ.૨૨) નામના યુવાને સાંજે આઠેક વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. રૂમમાં પરિવારજનો જોવા જતા યુવકને લટકતી હાલતમાં જોઈ તાકીદે બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર અર્જુન ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો અને કારખાનામાં કામ કરતો હતો. પિતા એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. યુવકના લગ્ન ત્રણ મહિના પૂર્વે જ થયા હતાં. અચાનક ક્યાં કારણોસર પુત્રએ પગલું ભર્યું એ અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિછીયા તાલુકામાં ખેડૂતોને વીજ કનેક્શન ટાઈમે ન મળતા ખેડૂત સેવા સંગઠનની રજૂઆત
May 17, 2025 10:44 AMપોરબંદરમાં સમરયોગ કેમ્પનો થયો શુભારંભ
May 17, 2025 10:42 AMભારતે હવે પાકિસ્તાન પર નહી, ચીન ઉપર ફોકસ કરવું જોઈએ
May 17, 2025 10:42 AMપોરબંદરમાં નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે એક્રેલિક કલર વર્કશોપનો થયો શુભારંભ
May 17, 2025 10:40 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech