શહેરના રૈયાધાર વિસ્તારમાં મજાક કરવા બાબતે ત્રિપુટીએ યુવાનને ઢીકાપાટુનો માર મારી છરીના ઘા ઝીંકી દીધા હતા. આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય હુમલાખોરોને ઝડપી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે સાધુવાસવાણી રોડ પર શ્રમદીપ કોમ્પ્લેક્સ-401માં રહેતા અને ડ્રાયવિંગ કામ કરનાર પ્રશાંતભાઈ વિનોદરાય સીમેજીયાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રવિ જાદવ, પ્રફુલ ઉર્ફે ઘાંઘી અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે હું મારા કામ અર્થે મારા શેઠને મૂકી બાદ ઘરે જતો હતો. દરમિયાન રૈયાધાર મેઇનરોડ સનસિટીની પાછળ મચ્છી માર્કેટ ચોક પાસે મારો મિત્ર લાલો પારગી (રહે ઇન્દીરાનગર મફતિયાપરા, રૈયાધાર) ત્યાં ઉભો હતો.
જેની પાસે મેં મારૂ મોટરસાયકલ ઉભું રાખી મજાક મસ્તી કરતો હતો. દરમિયાન તેની સાથે ઉભેલ એક અજાણ્યા શખસે મને કહેલ કે, તું લાલાની મસ્તી કેમ કરે છે? બાદમાં બોલાચાલી કરવા લાગેલ હતો. દરમિયાન તેની સાથે રહેલ રવિ જાદવ અને પ્રફુલ ઉર્ફે ઘાંઘી મને ગાળો આપવા લાગેલ હતા. મે ગાળો આપવાની ના પાડતા બંને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
દરમિયાન અજણ્યો શખસ મને માર મારવા લાગ્યો હતો. બાદમાં રવિએ અચાનક તેના પેન્ટમાંથી છરી કાઢી મને જમણી બાજુના પડખાના ભાગે મારી હતી. બાદમાં યુવાન અહીંથી નાસી ગયો હતો. ત્યારબાદ તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech