બીમારીથી વ્યથિત માલેતા ગામના મહિલાએ જિંદગી ટૂંકાવી

  • June 06, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે રહેતા સનીબેન નથુભાઈ બથવાર નામના 60 વર્ષના અનુસૂચિત જાતિના મહિલા છેલ્લા આશરે 15 દિવસથી બીમાર રહેતા હોય, અને તેમની તબિયત ન સુધારતા આનાથી કંટાળી ગયેલા સનીબેને ગુરુવારે માલેતા ગામના સ્મશાન પાસે આવેલા કુવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે મૃતકના પુત્ર રાજુભાઈ નથુભાઈ બથવારએ કલ્યાણપુર પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે. 


રાવલ ગામે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામેથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા હસુ લખમણ ગામી, કારા રામા મકવાણા અને સૂકા લાખા બારીયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 10,380 નો મુદામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application