જામનગર વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષક આર.ધનપાલના માર્ગદર્શન હેઠળ માનસિક આરોગ્યની હોસ્પિટલ જામનગરના દર્દીઓ માટેનો દાંતા વીડી વિસ્તારનો ટ્રેકિંગ કેમ્પ યોજાયો હતો.જેમાં માનસિક આરોગ્ય અંગેની સારવાર લઈ રહેલા ૫૦ જેટલાં સભ્યોને પ્રકૃતિના દર્શન કરાવવાની સાથે વન અને પર્યાવરણ તથા વન વિભાગને લગતી અનેક રસપ્રદ વિગતોથી માહિતગાર કરાયા હતા.
આ કેમ્પમાં ટ્રેકિંગ કેમ્પની સાથે સાથે સંસ્કૃતિક કાર્યક્રમ અને વન ભોજન સહિતના આયોજનો પણ વન વિભાગ દ્વારા કરાયા હતાં. દર્દીઓને અલગ વાતાવરણ મળી રહે તેમજ તેઓને માનસિક શાંતિનો અનુભવ થાય તે પ્રકારની ફોરેસ્ટ હીલિંગ થેરાપી આપવાનો અનેરો પ્રયાસ આ કેમ્પના માધ્યમથી હાથ ધરાયો હતો. આ કેમ્પમાં આર.એફ.ઓ. એમ.ડી.બડીયાવદરા, રાઉન્ડ ફોરેસ્ટર જે.ડી. કંડોરીયા, વન વિભાગ તથા હોસ્પિટલનો સ્ટાફ વગેરેએ જોડાઈ સહયોગ પૂરો પાડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં નદી કાંઠે ખડકાયેલા ૯૪ બાંધકામો પર બુલડોઝર
May 21, 2025 01:37 PMશુક્રવારથી ત્રણ દિવસ ભારે પવન સાથે હાલારમાં વરસાદની આગાહી
May 21, 2025 01:33 PMજામનગર હાઇવે પર બાઇક રેસનો સ્ટંટ કરનાર સાત સામે ફરીયાદ
May 21, 2025 01:31 PMજામનગર શહેર-જીલ્લામાં યમરાજનું કાળચક્ર : ચાર અપમૃત્યુ
May 21, 2025 01:28 PMજામનગરમાં વિદેશી દારુના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
May 21, 2025 01:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech