કચ્છમાં આવેલું આસ્થાનું સ્થાન એટલે કે માતાનોમઢમાં નવરાત્રીમાં થતી પત્રીવિધિના કારણે ચચર્ઓિમાં આવી ગયો હતો. ત્યારે હવે માતાનામઢમાં પત્રીવિધિ પૂજા વિવાદ અંગે હાઇકોર્ટનો મહત્ત્વનો આદેશ આવી ગયો છે. કચ્છના રાજવી પરિવારો વચ્ચે કેટલાક સમયથી પત્રીવિધિ અંગે વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલો પહેલા ભુજ કોર્ટમાં હતો. અહીં આ ચુકાદો પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીના પક્ષમાં આવ્યો હતો.
પછી આ મામલે રાજવી પરિવારના સભ્યોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હવે કચ્છના રાજપરિવાર વચ્ચે ચાલતા પત્રીવિધિ પૂજા મામલે હાઇકોર્ટનો આદેશ આવી ગયો છે. હાઇકોર્ટે આ મામલે આદેશ આપતા જણાવ્યું કે રાજ પરિવારના હનુવંતસિંહ જાડેજા પત્રીવિધિ કરશે. કચ્છના આસ્થા સમાન માતાનામઢમાં એક જ પત્રીવિધિ થશે.
માન્યતા અનુસાર એ મા આશાપુરા જ છે કે જેમણે શત્રુઓના આક્રમણોથી કચ્છની રક્ષા કરી છે. એ જ કારણ છે કે આજે પણ કચ્છના મહારાવ આઠમના રોજ મા આશાપુરાની વિશેષ પૂજા કરે છે. તેઓ પવિત્ર ચાચર કુંડમાં સ્નાન કરી ખુલ્લા પગે માતાજીને પત્રી ચઢાવે છે. પત્રી એક વિશેષ પ્રકારની વનસ્પતિ છે. આ પત્રીને પુન:ઝીલવા મહારાવ ખોળો પાથરીને ઊભા રહે છે. જ્યાં સુધી પત્રી ખોળામાં પડે નહીં ત્યાં સુધી પૂજા ચાલું જ રહે છે. અને પત્રીના પ્રાપ્ત થતાં જ જાણે માએ આશીવર્દિની વૃષ્ટિ કરી હોય તેમ ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે.
નવરાત્રી પર્વ દરમિયાન આશાપુરા માતાજીના નવ દિવસ હોમ હવન કરવામાં આવે છે એને આસો માસની નવરાત્રીની આઠમના રોજ આ પત્રીવિધિ યોજાય છે. આ દિવસે રાજપરિવારના મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડમાં સ્નાન કરી ચાચરા ભવાની મંદિરમાં પૂજા અર્ચના કરે છે. ત્યાર બાદ ભુવો પત્રી છોડના પાંદડાનો એક ઝુમખો બનાવવામાં આવે છે એને આશાપુરા માતાના મંદિરમાં માતાજીના જમણા ખભા ઉપર રાખવામાં આવે છે આ દરમિયાન ડાક તથા ઝાંઝ પણ વગાડવામાં આવે છે. ત્યારબાદ મહારાજા પછેડીનો પાથરી પત્રી મેળવવા માતાજીને રિઝવે છે. જ્યાં સુધી મહારાજાના ખોળામાં પત્રી નથી પડતી ત્યાં સુધી ખડેપગે રહીને માતાજીની પ્રાર્થના કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech