તાજેતરમાં કટરા પાસે શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદ માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો હતો. શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર પહેલા રોજના 50 થી 55 હજાર ભક્તો આવતા હતા.પરંતુ આ આતંકવાદી ઘટના બાદ શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટીને 25 થી 30 હજાર થઈ ગઈ છે.
તે જ સમયે 29 જૂનથી અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થવા જઈ રહી છે. યાત્રાળુઓની પ્રથમ ટુકડી આજે કાશ્મીર પહોંચી ગયી છે અને જમ્મુ થી પહેલી ટુકડીને રવાના કરી દેવામાં આવી છે . આવી સ્થિતિમાં સરકારે યાત્રાને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ વખતે ગતિવિધિ પર ચાંપતી નજર રાખવા માટે સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.બીજી તરફ સરકારે પણ માતા વૈષ્ણો દેવી તરફ જતા માર્ગો પર સુરક્ષા વધારી દીધી છે. દરમિયાન સરકાર અને શ્રાઈન બોર્ડે પણ અપીલ કરી છે કે માતાના દરબારમાં આવતા ભક્તોએ કોઈ પણ જાતના ડર વગર આવવું જોઈએ.ભક્તોની સંખ્યામાં ઘટાડો થતાં કટરા મુખ્ય બજાર પણ સુસ્ત બની ગયું છે. ભક્તોનો ઉત્સાહ ભાગ્યે જ જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech