છેલ્લા ચાર દિવસથી અસામાન્ય ચોમાસુ તેમજ વિચિત્ર પવન પ્રણાલીને લીધે જમીન પર સર્જાઇને દરિયા તરફ જઇ રહેલા વાવાઝોડાના પગલે પોરબંદરના બંદરમાં ચાર નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યુ છે.
લો પ્રેશરની સીસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયા બાદ કચ્છ ઉપર ખતરો ઉભો થયો છે અને ડિપ્રેશનની રચના જમીન પર થયા બાદ દરિયા તરફ આ વાવાઝોડુ આગેકુચ કરી રહ્યુ છે ત્યારે ગુજરાતમાં સર્જાયેલા આ ડીપ ડિપ્રેશનના પગલે પોરબંદરના બંદર ઉપર ચાર નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. કચ્છમાં પ્રતિ કલાકના પંચાવનથી સાઇઠ કિ.મી.ના ઝડપે ફૂંકાયેલા પવન બાદ તેની ગતિ વધી છે ત્યારે આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ વરસે તેવી શકયતાઓ ઉભી થઇ છે ત્યારે પોરબંદરના બંદર ઉપર ચાર નંબરનું સિગ્નલ લગાવીને સાગરપુત્રોને સાવચેત કરવામાં આવ્યા છે અને તંત્રએ જણાવ્યુ છે કે હાલમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન ને ધ્યાને લઈ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગર અને હવામાન વિભાગની સૂચના મુજબ પોરબંદર બંદર પર સિગ્નલ નં. ૪ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછેતરપિંડીનો નવો કીમિયો: આ સ્કીમના નામે 2 કરોડની છેતરપિંડી, વાંચો શું છે સમગ્ર મામલો?
May 31, 2025 02:09 PMજામનગરમાં ડિમોલીશન અંગે કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખીનો વિરોધ કર્યો
May 31, 2025 12:12 PMઆજે ફરી જામનગરમાં મેગા ડિમોલીશન
May 31, 2025 12:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech